- ઈઝરાયલ-હમાસ વચ્ચે બંધકો યાતનાઓ સહન કરવા મજબૂર બન્યાં
- હમાસ અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધને પોણા નવ મહિના પૂર્ણ થયા
- ઈઝરાયલના હુમલા બાદ ગાઝા પટ્ટી વિસ્તાર ખંડેર બની ચુક્યો છે
ગાઝા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધના લીધે છેલ્લા આઠ મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે.ગત વર્ષની સાત ઓક્ટોબરે શરૂ થયેલા યુદ્ધે અત્યાર સુધી બંને પક્ષો ભારે ખુવારી સર્જી છે. ઈઝરાયલ સતત ગાઝા પર વળતો હુમલો કરી રહ્યું છે. ઉપરાંત ઈઝરાયલે બંનેને એકબીજા નાગરિકોને બંધક બનાવી દીધા હતા. હવે જાણકારી સામે આવી છે કે ઈઝરાયલે 55 પેલેસ્ટાઈન કેદીઓને છોડી દીધા છે. ઈઝરાયલે ગાઝામાં બંધક બનાવેલા 55 પેલેસ્ટાનીયોને છોડી દીધા છે. ગાઝાની અલ-શિફાના ડાયરેક્ટર પણ સામેલ હતા.
હોસ્પિટલના ડાયરેક્ટરને પણ મુક્ત કર્યા
ગાઝાની અલ-શિફા હોસ્પિટલના ડિરેક્ટર મોહમ્મદ અબુ સેલમિયાને નવેમ્બરમાં ઇઝરાયલે અલ-શિફા હોસ્પિટલમાં દરોડા પાડ્યા ત્યારે ઇઝરાયેલ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો હતો. હોસ્પિટલ પર દરોડા પાડવાનું કારણ જણાવતા ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે તેને અંદાજ હતો કે હમાસ હોસ્પિટલનો ઉપયોગ કરી રહ્યું છે અને હમાસ હોસ્પિટલમાં ટનલ બનાવી રહ્યું છે. જોકે, અબુ સેલમિયા અને હોસ્પિટલના અન્ય સ્ટાફ દ્વારા આ આરોપોને નકારી કાઢવામાં આવ્યા હતા.
ઈઝરાયલે દક્ષિણ ગાઝાની નાસિર હોસ્પિટલમાં પણ દરોડા પાડ્યા હતા. નાસિર હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે અબુ સેલમિયા સોમવારે ગાઝામાંથી મુક્ત કરાયેલા 55 પેલેસ્ટિનિયન કેદીઓમાંના એક હતા. 55 બંધકોમાંથી માત્ર પાંચને નાસિર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, બાકીનાને દેર અલ-બાલાહની અલ-અક્સા શહીદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ઈઝરાયેલે હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતા
ઇઝરાયલે ગાઝામાં હોસ્પિટલો પર દરોડા પાડ્યા હતા અને કહ્યું હતું કે હમાસ અને અન્ય આતંકવાદી જૂથો હોસ્પિટલોમાં આશ્રય લે છે અને હમાસ લશ્કરી હેતુઓ માટે હોસ્પિટલોનો ઉપયોગ કરે છે. જ્યારે ઈઝરાયેલના આ આરોપો પર પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે ઈઝરાયેલના દરોડાને કારણે ઘણી હોસ્પિટલોને બંધ કરવાની અને સેવાઓ ઘટાડવાની ફરજ પડી છે, જેના કારણે નાગરિકો સારવાર મેળવી શક્યા નથી.


