- ઈઝરાયેલના ઉર્જા મંત્રી ઈઝરાયેલ કાત્ઝે ચેતવણી આપી હતી
- બંધકોને મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી ગાઝામાં વીજળી, બળતણ કે પાણી નહીં
- હમાસના હુમલા બાદ ઓછામાં ઓછા 1,300 ઈઝરાયેલીઓ માર્યા ગયા
ગાઝામાં હમાસની ચુંગાલમાં ફસાયેલા લગભગ 150 લોકોના જીવન પર સંકટ ઘેરાય રહ્યો છે. હમાસ અને ઈઝરાયેલ બંધકોની મુક્તિ માટે શરતો બનાવવા લાગ્યા છે. પરંતુ આગળ શું થશે તે હજુ સ્પષ્ટ નથી.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ તીવ્ર બની રહ્યું છે. 7 ઓક્ટોબર શનિવારના રોજ હમાસના હુમલાથી શરૂ થયેલા આ યુદ્ધમાં ગાઝામાં સ્થિતિ વણસવા લાગી છે. અહીં માત્ર વીજ પુરવઠો જ બંધ નથી થયો, પરંતુ હવે પાણીનું સંકટ પણ ગાઢ બની રહ્યું છે. ઈઝરાયેલના મંત્રીએ હવે ગાઝામાં પાણીના પુરવઠાને લઈને ચેતવણી જારી કરી છે. ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા ઇઝરાયેલ-હમાસ સંઘર્ષમાં બંને પક્ષો તરફથી મૃત્યુઆંક 2,500ને વટાવી ગયો છે. આજે સાતમાં દિવસે પણ હિંસા ચાલુ છે. આમાં વધુ લોકોના મોત થવાની આશંકા છે. ઈઝરાયેલની સરકારી માલિકીની એક ટીવી ન્યૂઝે એક અહેવાલમાં જણાવ્યું છે કે 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદથી ઓછામાં ઓછા 1,300 ઈઝરાયેલીઓ માર્યા ગયા છે.
બંધકોના ઘરે પરત ફરવાની પ્રથમ શરત
ઇઝરાયેલના ઉર્જામંત્રી ઇઝરાયેલ કાત્ઝે ગુરુવારે જણાવ્યું હતું કે જ્યાં સુધી હમાસ આતંકવાદી જૂથ બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી ગાઝા પટ્ટીમાં વીજળી, ઇંધણ અથવા પાણીનો પુરવઠો નહીં હોય. મંત્રીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, “જ્યાં સુધી ઇઝરાયેલના અપહરણ કરાયેલા લોકો ઘરે પાછા ન આવે ત્યાં સુધી કોઈ લાઈટ સ્વીચ ચાલુ કરવામાં આવશે નહીં, કોઈ વોટર હાઇડ્રેન્ટ ખોલવામાં આવશે નહીં અને કોઈ ફ્યુલ ટ્રક ગાઝામાં પ્રવેશ કરશે નહીં.” માનવતાવાદીઓ અને બીજું કોઈ આપણને નૈતિકતાનો ઉપદેશ આપશે નહીં. ઈઝરાયેલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદી જૂથે 7 ઓક્ટોબરે કરેલા હુમલા બાદ ગાઝામાં 150 લોકોને બંધક બનાવ્યા છે.
ગાઝા સીઝ ઓર્ડર
હુમલાના જવાબમાં, ઇઝરાયેલના રક્ષામંત્રી યોવ ગાલાન્ટે સોમવારે તમામ ગાઝાને ઘેરી લેવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કહ્યું કે તે વીજળી, ખોરાક, પાણી અને ઈંધણનો પુરવઠો બંધ કરી દેશે. ગાઝા પટ્ટીના એકમાત્ર પાવર સ્ટેશને બળતણની અછતને કારણે બુધવારે કામ કરવાનું બંધ કરી દીધું હતું. જેના કારણે હોસ્પિટલો સહિત હમાસ-નિયંત્રિત એન્ક્લેવમાં દરેક સુવિધા જનરેટર પર આધારિત છે, જેને બદલામાં ઇંધણના તાજા પુરવઠાની જરૂર પડે છે. ગુરુવારે, રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિએ ચેતવણી આપી હતી કે વીજળી ન હોવાને કારણે હોસ્પિટલો હવે શબઘરમાં ફેરવાઈ જવાનું જોખમ ધરાવે છે.