ઇટાલીના બ્રેશિયા શહેરમાં ભારત અને ઇટાલીના રાજનેતાઓ મુલાકાત કરશે. જેમાં ભારતના કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ઇટાલીના ઉપ પ્રધાનમંત્રી એન્ટોનિયો તાજાની ઉપસ્થિત રહેશે. ઇટાલી અને ભારત બંને દેશ વેપારનીતિને મજબૂત કરવા માટે આયોજિત સ્ટ્રેટેજિક ઇકોનોમિક પાર્ટનરશિપમાં હાજરી આપશે. સાંતા જૂલિયા મ્યૂઝિમમાં આયોજિત આ પાર્ટનરશિપમાં ઇટાલી-ભારત વેપાર મંચ પર પોતાના વિચારોની આપ લે કરશે.
ઇટાલી ઇન્ડિયા સ્ટ્રેટેજિક ઇકોનોમિક પાર્ટનરશિપ
આ કાર્યક્રમમાં બન્ને દેશ વચ્ચે વેપારી સંબંધો મજબૂત કરવા પર ચર્ચા કરવામાં આવશે. ઇટાલીના બ્રેશિયા શહેરમાં ઇટાલી ઇન્ડિયા સ્ટ્રેટેજિક ઇકોનોમિક પાર્ટનરશિપ આયોજિત કરવામાં આવી રહી છે. જેમાં ભારતના કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ઇટાલીના ઉપ પ્રધાનમંત્રી અને વિદેશી મંત્રી એન્ટોનિયો તાજાની સામેલ રહેશે. આ દરમિયાન ઇટલી ઇન્ડિયા બિઝનેસ ફોરમમાં બન્ને દેશના મોટી મોટી સંખ્યામાં ઉદ્યોગપતિ ઉપસ્થિત રહેશે. અને વેપારનીતિને આગળ વધારવા માટે પોતાના વિચારો સાથે ચર્ચા કરશે.
સાંતા જૂલિયા મ્યૂઝિયમનો અનોખો ઇતિહાસ
આ કાર્યક્રમ જે સ્થળે આયોજિત કરવામાં આવી રહ્યો છે. તે વિશ્વ પ્રસિદ્ધ સંગ્રાહલય છે. જેનું નામ સાંતા જૂલિયા મ્યૂઝિયમ છે. સાંતા જૂલિયા મ્યૂઝિયમ ઇટાલીના બ્રેશિયા શહેરમાં સ્થિત પ્રમુખ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળ છે. આ સંગ્રાહલય પ્રાચીન બેનેડિક્ટિન મઠના પરિસરમાં સ્થિત છે. જેમાં 8મી સદીમાં લોંગોબર્ડ રાજા ડેસિડેરિયસ અને તેમની પત્ની અંસાએ સ્થાપિત કર્યુ હતુ. આ સંગ્રાહલય 14 હજાર વર્ગ મીટરમાં ફેલાયેલું છે. અને તેમાં 18 સદીની કલાકૃતિ અને વસ્તુઓ સાચવીને રાખવામાં આવી છે. આ સંગ્રાહલય બ્રેશિયાની ઐતિહાસિક, કલાત્મક અને આધ્યાત્મિક યાત્રાને દર્શાવે છે. સૈન સાલ્વાતોરે બેસિલિકા તેનું ઉત્તમ ઉહારણ છે. સાંતા મારિયા ઇન સોલારિયોએ 12મી સદીનુ રોમનસ્ક્યૂ ઓરેટરી મઠના ખજાના મુકવાનું સ્થાન છે.