હાઇકોર્ટે રેગ્યૂલર જામીન ફગાવ્યા બાદ લાંબી લડત બાદ સુપ્રિમ કોર્ટમાંથી મળ્યા જામીન
માત્ર રાજકોટ કે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશને હચમચાવી નાંખતી મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા ૧3૮થી વધુ લોકોના મોતની આ ઘટનામાં છેલ્લા ૧૪ માસથી જેલવાસ ભોગવતા ઓરેવા કંપીનીના માલિક જયસુખ પટેલનો અંતે જામીન પર છૂટકારો થયો છે. જયસુખ પટેલના જામીન હાઇકોર્ટે ફગાવી દીધા બાદ તેમણે સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. આજે સુપ્રિમમાં સુનાવણી હતી.
મોરબીમાં ગત ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડ્યા હતા. તે પૈકીનાં કુલ મળીને ૬ આરોપીઓને અગાઉ હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે ત્યારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા ગ્રૂપના એમડી જયસુખભાઈ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવેલ હતી જેમાં સુનાવણીના અંતે સુપ્રીમ કોર્ટે જયસુખભાઇ પટેલના રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે તેવી માહિતી મોરબીની કોર્ટમાં જયસુખભાઇ પટેલના વકીલ અનિલભાઈ દેસાઇ પાસેથી જાણવા મળેલ છે.
મૃતકના પરિવારજનો પુછી રહ્યા છે હજુ આ બધા સવાલ
NOC વગર પુલ ખુલ્લો કેમ મુકાયો? ક્ષમતાથી વધુને કેમ જવા દેવાયા?
મૃતકના પરિવારજનો હજુ પણ એ જ કહી રહ્યા છે કે, દૂધર્ટના માનવસર્જિત કારણ જ જવાબદાર છે એ ચોખ્ખી ચણાક વાત છે. કહેવાતી તપાસનો રિપોર્ટ જે આવે તે પણ હાલ તો ઝુલતા પુલને કમાણીનું સાધન બનાવવા માટે સારસંભાળના નામે લેનાર ઓરેવા ટ્રસ્ટ ગ્રુપ, પુલનું રિનોવેશન કરનાર કોન્ટ્રાક્ટર અને સાથે નગરપાલિકા સહિત તંત્રવાહકો પૂરેપૂરી રીતે ફિક્સમાં આવી જાય તેવા સવાલો ઘેરાયા છે.
- પુલનું કહેવાતુ રિનોવેશન થયા પછી ફીટનેશ સર્ટિફિકેટ, ફાયર બ્રિગેડનું એનઓસી લીધા વગર જ બારોબાર પુલ કોને પુછીને અને શા માટે ખુલ્લો મુકી દેવામા આવ્યો?
- ખબર હતી કે પુલની ક્ષમતા આટલી છે એમછતા એકસાથે ઘેટા-બકરાના ધણની જેમ લોકોને શા માટે મોકલી દેવાયા?
- મર્યાદિત સંખ્યામાં કટકે કટકે મોકલવાના બદલે ધસારો શા માટે થયો?
- પુલના કહેવાતા રિનોવેશન પાછળ રૂ.૨ કરોડનો ખર્ચ થવા છતા પુલ શા માટે મજબૂત ન બની શક્યો?
શરતી જામીન, જયસુખનો પાસપોર્ટ જપ્ત લેવાશે
સુપ્રિમ કોર્ટે કેટલી શરતોને આધીન જામીન આપ્યા છે. જેમા વડા અદાલતનો એવો સ્પષ્ટ આદેશ છે કે, જયસુખ પટેલે તેનો પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે. તે દેશ છોડી શકશે નહીં. આ ઉપરાંત કેસનો ચુકાદો આવે ત્યા સુધીમાં અન્ય કેટલિક શરતો પણ રાખવામા આવેલી હોવાનું જાણવા મળે છે.
જયસુખ પટેલ વતી રોકાયેલા ધારાશાસ્ત્રી અનિલ દેસાઇની ધારદાર રજૂઆત
જયસુખ પટેલે સૌપ્રથમ હાઇકોર્ટમાં રેગ્યૂલર જામીન મુક્યા હતા. જો કે હાઇકોર્ટે તો એક જ ઝાટકે જામીન અરજી ફાગવા દીધા બાદ જયસુખ પટેલ પાસે સુપ્રિમ કોર્ટમાં જવા સિવાય કોઇ રસ્તો રહ્યો ન હતો. સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ કરવામા આવી હતી. જયસુખ પટેલ વતી એડવોકેટ તરીકે રોકાયેલા અનિલ દેસાઇએ કરેલી ધારદાર રજૂઆત બાદ અંતે ૧૪ મહિને જેલવાસમાંથી મુક્તિ મળે છે.