3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ અને બેંગ્લુરૂ વચ્ચે યોજાયેલી IPL 2025ની ફાઈનલ મેચમાં RCBની ટીમે પ્રચંડ જીત મેળવી છે. ત્યારે RCBની જીત બદલ જામનગરના જામસાહેબે RCBની ટીમને શુભેચ્છા આપી છે. RCBની ટીમ અને વિરાટ કોહલીને જામસાહેબે પત્ર લખ્યો છે. આ સાથે જ ફાઈનલ મેચ દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા ફલાય પાસ્ટ કરતબના પણ ખુબ વખાણ કર્યા છે. જ્યારે એરફોર્સના ફ્લાય પાસ્ટમાં ભાગ લેનારા સ્કવોડ્રન અને વિમાન અંગે કોઈ પ્રકાશ પાડવામાં ના આવતા આશ્ચર્ય સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
IPL ટ્રોફી જીત્યા બાદ વિરાટ કોહલીએ કહી આ વાત
ગઈકાલે એટલે કે 3 જૂન 2025એ RCBએ પંજાબ કિંગ્સ ફાઈનલ મેચમાં ઐતિહાસિક જીત નોંધાવી છે. આરસીબીની ટીમે તેનું પ્રથમ આઈપીએલ ટાઈટલ જીત્યું છે. આરસીબીના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી પોતાની પહેલી આઈપીએલ ટ્રોફી જીતવાની ખુશીમાં ભાવુક જોવા મળ્યો. બેંગ્લુરુની જીત બાદ વિરાટ કોહલીએ કહ્યું કે ‘મેં મારું બધું આ ટીમને આપી દીધું છે.’ આમાં મારી નાની ઉંમરથી લઈને અત્યાર સુધીનો મારો સંપૂર્ણ અનુભવ સામેલ છે. વિરાટ કોહલીએ કહ્યું કે ‘મારું દિલ અને આત્મા બેંગલુરુ માટે છે’. વિરાટ કોહલીએ બેંગ્લુરુની જીત પર કહ્યું કે ‘આ જીત જેટલી ટીમની છે તેટલી જ ફેન્સ માટે પણ છે’. વિરાટ કોહલીએ આગળ કહ્યું કે ‘આઈપીએલને 18 વર્ષ પૂર્ણ થયા છે. મેં આ ટુર્નામેન્ટમાં મારી યુવાનીથી લઈને મારા પ્રાઈમ ટાઈમ સુધી બધું જ આપ્યું છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ દિવસ આવશે. વિરાટ કોહલીએ કહ્યું, ‘મેચના છેલ્લા બોલ પછી હું ભાવુક થઈ ગયો હતો’.
ફેન્સ અનોખી રીતે જીતની કરી ઉજવણી
તમને જણાવ દઈએ કે 18 વર્ષ બાદ RCBની ટીમે ટાઈટલ જીત્યા બાદ ફેન્સ પણ અનોખી રીતે જીતની ઉજવણી કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર RCBની જીતના વીડિયો અને વિરાટ કોહલી તથા અનુષ્કા શર્માની ફોટો અને વીડિયો પોસ્ટ કરીને જીત બદલ અભિનંદન પણ પાઠવી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો તો RCBની જીત બાદ જાહેરમાં રસ્તા પર ઉતરીને RCBની ટીમનો ફ્લેગ લહેરાવી રહ્યા છે. કેટલાક ફેન્સે તો ફટાકડાની આતશબાજીની કરીને પણ જીતની ઉજવણી કરી છે.