By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    5 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    7 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    2 weeks ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: જેતપુરમાં ભાદર નદીને પ્રદુષિત કરનાર તત્વો સામે કાર્યવાહી નહીં કરાઇ તો ઉપવાસની ચીમકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

જેતપુરમાં ભાદર નદીને પ્રદુષિત કરનાર તત્વો સામે કાર્યવાહી નહીં કરાઇ તો ઉપવાસની ચીમકી

Editor
Last updated: 2026/01/28 at 4:28 PM
7 days ago
Share
જેતપુરમાં ભાદર નદીને પ્રદુષિત કરનાર તત્વો સામે કાર્યવાહી નહીં કરાઇ તો ઉપવાસની ચીમકી
SHARE

કેરાળી ગામ પાસે નદીમાં ફીણના ગોટા નજરે પડતાં ખેડૂતો લાલઘૂમ

જેતપુરમાં ભાદર નદીને પ્રદુષિત કરનાર તત્વો સામે કાર્યવાહી નહીં કરાઇ તો ઉપવાસની ચીમકી

જીપીસીબીના અધિકારીએ પણ પાલિકાની પોલ ખોલી: તપાસમાં ગટરના મેનહોલ ઉભરાતા હોવાની કબૂલાત

 

અગ્ર ગુજરાત, જેતપુર

જેતપુર પંથકની જીવાદોરી સમાન ભાદર નદી હવે પ્રદૂષણના કારણે ઝેર સમાન બની જતાં ધરતીપુત્રોનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે. છેલ્લા ૪૦ વર્ષથી પ્રદૂષણ સામે ઝઝૂમતા કેરાળી અને લુણાગરાના ૬૦ થી ૭૦ જેટલા ખેડૂતોએ આજે ભાદર નદીના પટમાં ઉતરીને તંત્ર સામે હલ્લાબોલ કર્યો હતો. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો ૧૦ દિવસમાં પ્રદૂષણનો કાયમી નિકાલ નહીં આવે તો જીપીસીબી કચેરીના ગ્રાઉન્ડમાં જ ‘ઉપવાસ છાવણી’ નાખવામાં આવશે અને આરપારની લડાઈ લડવામાં આવશે.

રોષે ભરાયેલા ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યા હતા કે, જેતપુરમાં સક્રિય થયેલા પ્રદૂષણમાફિયા એનકેન પ્રકારે પ્રદૂષિત પાણીના ટેન્કરો ભાદર નદીમાં ઠાલવી રહ્યા છે. બીજી તરફ, જેતપુર નગરપાલિકાનું દૂષિત પાણી પણ સીધું નદીમાં છોડવામાં આવે છે. જ્યારે રજૂઆત કરવા જઈએ ત્યારે અધિકારીઓ માત્ર લૂલો બચાવ કરે છે. ખેડૂતોએ ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે, અમારા બાપ-દાદાઓ આ પ્રદૂષણ સામે લડતા લડતા શહીદ થઈ ગયા, છતાં બહેરા-મૂંગા તંત્રના પેટનું પાણી હલતું નથી.

જીપીસીબીની કામગીરી સામે ખેડૂતોમાં એટલો અવિશ્વાસ છે કે, અધિકારીઓ સેમ્પલ લઈ ગયા બાદ રિપોર્ટમાં ‘ગોલમાલ’ કરશે તેવી ભીતિ સેવાઈ રહી છે. આથી, ખેડૂતોએ જાતે જ પાણીનું એક સેમ્પલ ભરીને ખેડૂત આગેવાન કિશોરભાઈ મકવાણાના ઘરે સુરક્ષિત રાખ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે, જો સરકારી રિપોર્ટમાં લીલાલહેર બતાવવામાં આવશે તો અમે અમારું સેમ્પલ રજૂ કરીશું.

ખેડૂતોએ અત્યંત ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે જેતપુરમાં ભૂમાફિયાઓ સક્રિય છે, જે એનકેન પ્રકારે પ્રદૂષિત પાણી ભાદર નદીમાં ઠાલવી રહ્યા છે. એટલું જ નહીં, શુદ્ધિકરણના નામે માત્ર નાટક ભજવાતું હોવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે નગરપાલિકાનું પ્રદૂષિત પાણી સીધું જ નદીમાં છોડવામાં આવે છે અને જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે અધિકારીઓ માત્ર ‘લૂલો બચાવ’ કરે છે. શું જીપીસીબીએ નગરપાલિકાને પ્રદૂષિત પાણી છોડવાનો પરવાનો આપ્યો છે? તેવો સવાલ પણ ખેડૂતો ઉઠાવી રહ્યા છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 40 વર્ષથી ભાદર નદી પ્રદૂષિત થઈ રહી છે અને અનેક રજૂઆતો છતાં પરિસ્થિતિ જૈસે થે છે. ખેડૂતોએ જીપીસીબીના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા સેમ્પલના રિપોર્ટ માટે હજુ 1-2 દિવસનો સમય માંગવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને અધિકારીઓ ગોળગોળ જવાબ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે.

ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 10 દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે, તો ખેડૂતો ભાદર નદીના પટમાં અથવા જીપીસીબી કચેરી ખાતે ઉપવાસ છાવણી નાખવામાં આવશે.

તંત્ર પરનો વિશ્વાસ હવે સંપૂર્ણપણે ઉઠી ગયો છે. જીપીસીબી સેમ્પલ લઈ જાય અને રિપોર્ટમાં ગોલમાલ કરે તેવી ભીતિ હોવાથી, આ વખતે ખેડૂતોએ “પૈસા સાચવે તેમ” પાણીનું એક સેમ્પલ ખેડૂત આગેવાન કિશોરભાઈ મકવાણાના ઘરે સાચવી રાખ્યું છે. જીપીસીબીના અધિકારીઓએ રિપોર્ટ માટે બે દિવસનો સમય માંગ્યો છે, પરંતુ ખેડૂતોએ સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું છે.

ખેડૂતોના વિરોધ બાદ જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાખોલીયાએ મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું કે, “અમે ૧૩ અને ૧૫ તારીખે તપાસ કરી હતી, જેમાં નગરપાલિકાના મેનહોલ ઉભરાતા જોવા મળ્યા હતા. આ અંગે ચીફ ઓફિસરને તાત્કાલિક મેનહોલ બંધ કરી પાણી એસટીપીમાં ડાયવર્ટ કરવા સૂચના અપાઈ છે. દેરડીધાર પાસેના પ્લાન્ટની પણ તપાસ કરીશું અને જો કોઈ કસૂરવાર જણાશે તો પગલાં લેવાશે.

ખેડૂતોનું અલ્ટીમેટમ: ૧૦ દિવસમાં પરિણામ નહીં તો આંદોલન

ખેડૂતોએ જણાવ્યું હતું કે, અધિકારીઓ રિપોર્ટ માટે હજુ બે દિવસનો સમય માગે છે. અમે ૧૦ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. જો ત્યાં સુધીમાં ભાદર નદીમાં ઠલવાતું પ્રદૂષણ બંધ નહીં થાય, તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કરશે.

You Might Also Like

મોરબીના રંગપર ગામે કારખાનામાં કામ કરતી વખતે પતરું તુટી નીચે પટકાતા યુવકનું મૃત્યુ

સુરતના ચકચારી ૧૫૧૮ કરોડના સાયબર ફ્રોડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો

ધ્રોલમાં બાઈક પર આવેલા બે શખ્સો ૫ વર્ષની બાળકીને ઉઠાવી ગયા

‘હાજી રમકડું’ને ૨૬મીએ પદ્મશ્રીથી નવાજયા, બે દિ’ બાદ મતદારમાંથી નામ કમી કરવા અરજી

ભૂજમાં નિવૃત મહિલા PSIને ડિજીટલ એરેસ્ટ કરી ૮3.૪૪ લાખ પડાવતા ગઠીયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધ્રોલમાં બાઈક પર આવેલા બે શખ્સો ૫ વર્ષની બાળકીને ઉઠાવી ગયા
જામનગર

ધ્રોલમાં બાઈક પર આવેલા બે શખ્સો ૫ વર્ષની બાળકીને ઉઠાવી ગયા

Editor By Editor 6 days ago
 મનપાના અંદાજપત્રમાં તિજોરીની આર્થિક સ્થિતિની અસર વર્તાશે
ગ્રામીણ ભારતમાં ગૌ આધારિત અર્થતંત્રની ભૂમિકા વિષય પર વિશેષ સંવાદ
30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત
 UGCના નવા નિયમનો વિરોધ, રવિવારે બંધનું એલાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?