વિશ્વ આર્ટ દિવસને અનુલક્ષીને વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિને જાગૃત કરવા માટે આર્ટ એકઝીબિશન યોજાયું:ડોલી વાજા
પ્રદર્ધશનમાં પ્રાપ્ત ધનરાશિ ‘કાઠિયાવાડ બાલાશ્રમ’ સંસ્થાને ભેટ સ્વરૂપે અર્પણ કરાઈ
બાળકોમાં સર્વાંગી વિકાસ થાય તે માટે અભ્યાસની સાથે સાથે ઈતર પ્રવૃત્તિનું પણ ઘણું મહત્વ છે. આ પ્રવૃત્તિમાં જો કલાનો સમાવેશ થાય તો સોનામાં સુગંધ ભળે. શાળામાં બાળકો શિક્ષણ મેળવવા સાથે આપણી સંસ્કૃતિ અને કલામાં પણ રસ લે તે માટે શિક્ષકો અને શાળા સંચાલકોએ રસ લેવો જરૂરી ઘણી શાળાઓ છે જે બાળકોમાં રહેલા કૌશલ્યને વિકસાવવા માટે પ્રયત્નશીલ છે આવી જ એક શાળા એટલે શહેરની વી. જે. મોદી સ્કૂલ.જે સમગ્ર ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે અવિરત ઉજવળ પરિણામની પરંપરા જાળવવાની સાથે-સાથે બાળકોના સર્વાગી વિકાસ માટે સહઅભ્યાસી પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર છે. ‘વિશ્વ આર્ટ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે ‘કલાનુભૂતિ’ આર્ટ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા “વિશ્વ આર્ટ દિવસ’ નિમિત્તે મોદી સ્કૂલ દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. “કલાનુભૂતિ” આર્ટ પ્રદર્શનમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. વિવિધ આર્ટનું પ્રદર્શન કર્યું.
આ બાબત શાળાના પ્રિન્સિપાલ ડોલી વાજા એ જણાવ્યું હતું કે કલાનુભૂતિ પ્રદર્શન એટલે કે વિદ્યાર્થીઓમાં રહેલ કલા અને વ્યક્ત કરવાની એક તક. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓમાં રહેલી આવડત ને બહાર લાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ એક જ અઠવાડિયાની જહેમત બાદ સુંદર પેઈન્ટિંગ, જવેલરી, મહેંદી તથા હસ્તકલા દ્વારા તૈયાર કરેલ કૃતિઓનું વેચાણ કરવામાં આવ્યું હતું,જેનાથી પ્રાપ્ત ધનરાશિ રાજકોટ સ્થિત ‘કાઠિયાવાડ બાલાશ્રમ’ સંસ્થાને ભેટ સ્વરૂપે મોદી સ્કૂલ દ્વારા અર્પણ કરવામાં આવી હતી. બે દિવસીય યોજેલ ‘આર્ટ પ્રદર્શન’ નિહાળી વાલીઓએ વિદ્યાર્થીઓની તથા મોદી સ્કૂલની પ્રશંસા કરેલ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ મેનેજિંગ ટ્રસ્ટી ડો. રશ્મિકાંત પી. મોદી, કુંજલબેન આર. મોદી તથા મેનેજિંગ ડાયરેક્ટર ધવલ આર. મોદીએ સ્કૂલનાં પ્રિન્સીપાલ, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપેલ હતું.