- કેન્યામાં હજારો વિરોધીઓએ સંસદમાં તોડફોડ કરી છે
- ભૂતપૂર અમેરિકી પ્રમુખ બરાક ઓબામાની બહેન પ્રદર્શનમાં સામેલ હતાં
- કેન્યામાં હિંસાને લઈ ભારતે એડવાઈઝરી જાહેર કરી છે
કેન્યામાં હજારો વિરોધીઓએ સંસદમાં તોડફોડ કરી છે. હિંસામાં અત્યાર સુધીમાં 23 લોકોનાં મોત થયા છે. કેન્યાની વિધાનસભામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા વિરોધીઓ પર પોલીસે ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં ઓછા પાંચ વિરોધીઓ માર્યા ગયા હતા. જ્યારે ડઝનેક ઘાયલ થયા હતા. તો વળી સંસદની ઇમારતના ભાગોને આગ લગાડી દેવામાં આવી હતી.કેન્યાના કાર્યકર્તાઓમા ઓબામા, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાની સાવકી બહેન, નૈરોબીમાં સંસદ ભવનની બહાર પ્રદર્શન દરમિયાન દેખાવકારોમાંના એક હતા.
ભારતે એડવાઈઝરી જાહેર કરી છે
કેન્યામાં ટેક્સ વધારા સામે વિરોધ હિંસક બન્યા બાદ ભારતે તેના નાગરિકોને ‘અત્યંત સાવધાની’ રાખવાની સલાહ આપી હતી. કેન્યામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે એક એડવાઈઝરી જારી કરીને કહ્યું કે હાલની તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કેન્યામાં તમામ ભારતીયોને અત્યંત સાવધાની રાખવાની, બિનજરૂરી હિલચાલને પ્રતિબંધિત કરવાની અને જ્યાં સુધી સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી વિરોધ અને હિંસાથી પ્રભાવિત વિસ્તારોને ટાળવાની સલાહ આપવામાં આવે છે ભલામણ કરેલ.
કેન્યામાં પરિસ્થિતિ કેમ બગડી?
વિરોધીઓએ રાષ્ટ્રપતિ રુટ્ટે પર વર્ષ-2022માં રાષ્ટ્રપતિ બન્યા પછી જનતા સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો છે. વિરોધીઓએ આરોપ લગાવ્યો કે રૂટ્સે ગરીબોને મદદ કરવાનું વચન આપ્યું હતું. તેમણે ટેક્સ ન વધારવા અને લોનની કિંમતમાં ઘટાડો કરવા માટે સરકારના નવા બિલને ફગાવી દેવાની વાત કરી હતી. વિરોધીઓએ ફાઇનાન્સ બિલ પાછું ખેંચવાની માંગ કરી હતી અને રુટોના વહીવટીતંત્રને ચેતવણી આપી હતી કે તેઓ તેમને સત્તા પરથી હટાવી દેશે. હાલ સ્થિતિ ગંભીર અને તંગ છે. ઘણી જગ્યાએ રસ્તાઓ પર આગચંપી પણ જોવા મળી રહી છે.


