કેન્યામાં એક બસ એક્સિડન્ટમાં ઓછામાં ઓછા પાંચ ભારતીય નાગરિકોના મૃત્યુ નિપજ્યા છે. આ લોકો કતરમાં રહેતા હતા અને રજાઓ ગાળવા માટે કેન્યા ગયા હતા. આ ઘટનાની જાણકારી દોહામાં રહેતા એક ભારતીય દૂતવાસે આપી હતી. દૂતવાસે X પર પોસ્ટ કર્યું હતું કે કતરનું 28 ભારતીયોનું ગૃપ કેન્યાના પ્રવાસે હતું, જ્યાં દુર્ભાગ્યે આ ઘટના બની હતી. નૈરોબીમાં ભારતી ઉચ્ચાયોગના અધિકારી ઘટના સ્થળ પર છે અને તેમણે વળતરની જાહેરાત કરી છે.
ભારતીય આયોગ કરી રહ્યું છે મદદ
નૈરોબીમાં આવેલ ભારતીય ઉચ્ચ આયોગે X પર પોસ્ટ કરી છે કે, અમે ન્યાંદરુઆના કાઉંટીમાં ઓલ જોરોરોક-નાકુર રોડ પર બનેલી દુર્ઘટનાથી ખૂબ દુખી છીએ. જેમાં 5 ભારતીય નાગરિકોના જીવ ગયા છે. ઉચ્ચઆયોગે કહ્યું હતું કે, શોક સંતપ્ત પરિવારો પ્રતિ સંવેદના છે. અમે ઘાયલોની જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીયે છીએ. ઉચ્ચ આયોગની કાઉન્સલર ટીમ ઘટના સ્થળ પર છે અને તમામ પ્રકારની મદદ પુરી પાડ્યુ રહે છે.