- થરાદના મહાજનપુરા ખાતે પમ્પિંગ સેન્ટરનું વિધાનસભાના અધ્યક્ષે નિરીક્ષણ કર્યું !
- નર્મદાના દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું
- સીપુ ડેમમાં નર્મદાના નીર નાખવામાં આવતા પૂર્વ વિસ્તારમાં પાણીના તળ ઊંડા આવશે
થરાદના મહાજનપુરા પાસે 592 કરોડોના ખર્ચે 70 કિલોમીટર લાંબી થરાદ સીપુ જળાશય પાઇપલાઇન યોજના અંતર્ગત થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી એ નર્મદા કેનાલના દરવાજા ખોલી પાણી નો સંપ ભરવાનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ભરતભાઈ ચૌધરી, જેટકોના અધિકારીઓ, એસ એસ એન એન લી ના અધિકારીઓ, અધ્યક્ષના પી એસ આઈ એસ પટેલ, ઉમજીબા ચૌહાણ, રૂપસીભાઇ પટેલ, પ્રવિણભાઇ માળી, જેતશીભાઈ પટેલ,અરભેરામભાઈ રાજગોર, મહાજનપુરા સંરપચ ગંગારામભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ પંપીંગ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું જેમાં બનાસકાંઠા જિલ્લા માટે કરોડોના ખર્ચે થરાદથી સિપુ ડેમ સુધીની પાઇપલાઇન યોજનાનું કામ હાથ ધરવાનું આયોજન રાજ્યસરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જેમાં થરાદના મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુડેમ સુધી પાણી નાંખવામાં આવનાર પાઇપલાઇનનું થરાદના મહાજનપુરા પાસે પંપીંગ સ્ટેશન બનાવમાં આવ્યું હતું જેમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ભરતભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે થરાદથી 70 કિમી લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે તેમજ મહાજનપુરા ,મડાલ અને રસાણા એમ ત્રણ ગામોમાં પંપીગ સ્ટેશનો ગોઠવવામાં આવ્યા છે જેના થકી ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવશે. મહાજનપુરા પાસે નર્મદા મુખ્ય નહેરમાંથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાંખવામાં આવી તેમજ મહાજનપુરા મડાલ અને રસાણા એમ ત્રણ ગામોમાં પંપીગ સ્ટેશનો ગોઠવવામાં આવશે.
ચાર તાલુકાના 106 તળાવો ભરવામાં આવશે
થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે મહાજનપુરા પંપિંગ સ્ટેશન નું નિરીક્ષણ કર્યું અને નર્મદા કેનાલના દરવાજા ખુલ્લી પાણી છોડવામાં આવ્યું છે જેમાં ગુજરાત સરકારે આ યોજના અંતર્ગત નેવાના પાણી મોભે ચઢાવ્યા છે જેમાં થરાદ, લાખણી,ડીસા, દાંતીવાડા ના સીપુ જળાશય સુધી વચ્ચે આવતા 106 તળાવો ભરવામાં આવશે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં ફયદો


