રાજકોટ બાર એસો.ની.ચૂંટણીનુ મતદાન શરૂ : સમરસ પેનલના પ્રમુખ કમલેશ શાહ, સુરેશ ફળદુ, પી. સી. વ્યાસના સહિતના આગેવાનોએ મતદાન કર્યું
કુલ ૩૫૫૫, મતદાર, બપોરના ૪ વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે
રાજકોટ બાર એસોસિયેશનની ચુંટણીમાં ભાજપ લીગલ સેલ પ્રેરીત સમરસ પેનલ તથા એકટીવ પેનલ સામ સામે ચુંટણી લડી રહ્યા છે જેમાં આજે સવારે સમરસ પેનલના પ્રમુખ કમલેશભાઈ શાહ તથા તેમના ધર્મપત્ની એ સજોડે મતદાન કર્યું હતુ. સવારથી જ વકીલો મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા અને વિધાનસભાની ચુંટણીમાં મતદાન સમયે જે વાતાવરણ જોવા મળે તેવું વાતાવરણ જોવા મળતું હતું. આ મતદાનમાં કુલ ૩૫૫૫ વકીલ મતદારો મતદાન કરશે.આ ઉપરાંત પીયુષ શાહે પણ મતદાન કર્યું હતું
રાજકોટ બાર એસોસિયેશનની ચુંટણીનુ સવારે જુની કોર્ટ બિલ્ડિંગમાં ચુંટણી અધીકારીની હાજરીમાં સવારે ૯ કલાકે શરૂ થયું હતું કુલ ૩૫૫૫ વકીલ મતદારો મતદાન કરશે. મતદાન શરૂ થયુ ત્યારે ભાજપ પ્રેરિત સમરસ પેનલના પ્રમુખ કમલેશ શાહ મતદાન કર્યું હતું. સમરસ પેનલના ઉમેદવારો પી.સી.વ્યાસ,ઝાલા.આર.ડી, રેખાબેન પટેલ,સુરેશ ફળદુ, જયેન્દ્ર ગોડલીયા,મહેતા મેહુલ, ચૌહાણ અજયસિંહ,સાગર હપાણી,ભાવેશ રગાણી, સોલંકી પ્રવિણ,કૌશલ વ્યાસ,યશ ચોલેરા,રણજીત મકવાણા, નિકુંજ શુકલ,વેકરીયા અમીતે મતદાન કર્યું હતું.
બાર એસોસિયેશનની ચુંટણીનુ મતદાન બપોરના ૩ વાગે પૂર્ણ થયા બાદ ૪ વાગ્યાથી મતગણરી હાથ ધરવામાં આવશે અને રાત્રીના પરીણામ જાહેર થશે