ભારતીય ટીમનો ભાગ રહેલ લેફ્ટ આર્મ સ્પિનર સૌરભ કુમારે આગામી ઘરેલૂ સિઝન પહેલા ટીમ બદલવાનો નિર્ણય લીધો છે. સૌરભ ઘણા વર્ષોથી ઉત્તર પ્રદેશ માટે ઘરેલુ ટુર્નામેન્ટ રમે છે, પરંતુ હવે આ ખેલાડીએ આંધ્ર પ્રદેશ તરફથી રમવાનો નિર્ણય લીધો છે.
સૌરભ કુમાર ઘણી વાર ભારતીય દળમાં સામેલ થયો છે, પરંતુ તેને હજુ સુધી ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક મળી નથી. પરંતુ સ્ટાર ખેલાડી ઘણી વાર ઈન્ડિયા A, ઈન્ડિયા D અને ઈન્ડિયા બ્લૂ માટે રમી ચૂક્યો છે.
યુપીસીએ અને એસીએ પાસેથી મળી મંજૂરી
ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન અને આંધ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી સૌરભને લીલી ઝંડી મળી ચૂકી છે. સૌરભને આંધ્ર તરફથી રમાવા માટે હવે માત્ર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની સહમતિની જરૂર છે, જે માત્ર એક ઔપચારિકતા છે. તમને જણાવી દઈએ કે સૌરભ કુમાર ઈંગ્લેન્ડ સામેની સિરીઝની સાથે સાથે બાંગ્લાદેશ અને શ્રીલંકાના વિદેશી પ્રવાસ માટે ભારતીય સીનિયર નેશનલ ટીમનો ભાગ રહી ચૂક્યો છે, પરંતુ આ ખેલાડીને ક્યારેય પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નથી.
હું આંધ્ર માટે રમાવાને લઈને ઉત્સાહિત છું – સૌરભ
મીડિયા સાથે વાત કરતાં સૌરભે કહ્યું કે હું આંધ્ર માટે રમવાને લઈને ઉત્સાહિત છું. હું આવનારા સીઝનની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો છું. મને આશા છે કે હું આંધ્ર માટે આ ફોર્મેટ માટે ટાઈટલ અપાવું અને રણજી ટ્રોફીની ફાઈનલ સુધી પહોંચાડું.
સૌરભની જોરદાર બોલિંગ
2018-19 રણજી સીઝનમાં સૌરભે 50 થી વધુ વિકેટ પોતાને નામ કરી હતી. અત્યાર સુધી તેને 79 પ્રથમ સિરીઝ મેચમાં 2.76ની સારી ઈકોનોમી અને 26.46ની એવરેજ સાથે 324 વિકેટ પોતાને નામ કરી છે. જ્યારે લિસ્ટ A મેચમાં આ ખેલાડીએ 51 બેટ્સમેનને પોતાનો શિકાર બનાવ્યા છે. આ સિવાય 33 T20 મેચમાં તેને 24 વિકેટ લીધી છે.