- “શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત” કરવાની માંગ
- PM ઓફિસને 6 મુદ્દા સાથે લખવામાં આવ્યો છે પત્ર
- SDBનું લોકાર્પણ કરવા નરેન્દ્ર મોદી સુરત આવશે
સુરત એરપોર્ટનું નામ બદલવાની માગ ઉઠી છે. જેમાં “શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત” કરવાની માંગ થઇ રહી છે. સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા પત્ર લખાયો છે. જેમાં PM ઓફિસને 6 મુદ્દા સાથે પત્ર લખવામાં આવ્યો છે.
SDBનું લોકાર્પણ કરવા નરેન્દ્ર મોદી સુરત આવશે
SDBનું લોકાર્પણ કરવા નરેન્દ્ર મોદી સુરત આવશે. જેમાં PM સુરત એરપોર્ટની નવી બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. PM મોદી સુરત અવવાના છે. ત્યારે સુરત એરપોર્ટનું નામ બદલવાની માંગ ઉઠી છે. સુરત એરપોર્ટનું નવું ટર્મિનલ બન્યા બાદ ઈન્ટરનેશનલ ફ્લાઇટના સ્લોટ શરૂ થઈ રહ્યા છે. સૌથી પહેલા એર ઇન્ડિયા એક્સપ્રેસ તરફથી દુબઈની ફ્લાઈટની જાહેરાત કરવામાં આવી હતી, જે 17 ડિસેમ્બરના રોજથી શરૂ થશે. સુરત એરપોર્ટથી દુબઈની ફ્લાઈટ અઠવાડિયામાં 4 દિવસ ઉડાણ ભરશે.
ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ સુરતથી હોંગકોંગની ફ્લાઇટ શરૂ કરી
દુબઈની ફ્લાઇટની જાહેરાત બાદ હવે ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ સુરતથી હોંગકોંગની ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઇન્ડિગોની ફ્લાઈટ ડેઇલી હશે જ્યારે એર ઇન્ડિયાની હોંગકોંગની ફ્લાઇટ ત્રણ દિવસ હશે. આ બંને ફ્લાઇટ વાયા દિલ્હી છે. સુરતના આંતરાષ્ટ્રીય પેસેન્જરની હાલાકીમાં ઘટાડો થશે. યુએસ કે યુકે જવા માટે તેમને અન્ય એરપોર્ટ પર જઈ કનેક્ટિવિટી લેવી પડતી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું છે કે, વિકાસની ઉડાન ભરશે સુરત. સુરત એરપોર્ટ પરથી સુરત-દુબઇ-સુરત અને સુરત-હોંગકોંગ-સુરતની બે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવા જઇ રહી છે. આ ફ્લાઇટ શરૂ થતાની સાથે જ સુરતની ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.


