વડાપ્રધાન મોદી સાથેના પોડકાસ્ટને લઈને અમેરીકાના પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન હાલ ખૂબ ચર્ચામાં છે. લેક્સ ફ્રીડમેન 2018 થી પોડકાસ્ટ હોસ્ટ કરી રહ્યા છે. હાલમાં જ પીએમ મોદી સાથે પોડકાસ્ટ કરતા પહેલા જ તેમણે બે દિવસ સુધી ઉપવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે ફક્ત પાણી જ પીધુ હતું. ફ્રિડમેને પોડકીસ્ટ દરમિયાન આ પાતનો ખૂલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પોતાની માનસિક સ્થિતિ સ્વસ્થ રાખવા માટે તેમણે ઉપવાસ કર્યો હતો.
ફ્રિડમેનના ઉપવાસ પર જાણો શું બોલ્યા પીએમ મોદી
ફ્રિડમેનના આ ઉપવાસ પર પીએમ મોદીએ ફ્રિડમેનનો આભાર માન્યો હતો. તેમણે આ ઉપવાસને એક સન્માન ગણાવ્યું હતું.પીએમ મોદીએ પણ પોતાના ઉપવાસ દરમિયાનના અનુભવો અને તેનું આધ્યાત્મિક મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉપવાસથી તેમની છ ઈન્દ્રિયો એક્ટીવ થઈ જાય છે અને વિચારવાની ક્ષમતા પણ વધી જાય છે.
ફ્રિડમેને આ કારણે રાખ્યો હતો ઉપવાસ
લેક્સ ફ્રિડમેને પીએમ મોદી સાથેના પોડકાસ્ટ પહેલા 45 કલાકનો ઉપવાસ રાખ્યો હતો. તેમણે વડાપ્રધાન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘હું અત્યારે પણ ઉપવાસ પર છું. હાલ લગભગ 2 દિવસ એટલે કે 45 કલાક થઈ ગયા છે. મેં ફક્ત પાણી પીધું છે, કંઈ જ જમ્યો નથી’. ફ્રિડમેને જણાવ્યું હતું કે ‘પીએમ મોદી સાથેની વાતચિત દરમિયાન તેમની માનસિક સ્થિતિ સારી રહે અને તેઓ આધ્યાત્મિક સ્તર સુધી પહોંચી શકે તે માટે તેમણે ઉપવાસ કર્યો હતો’.
પીએમ મોદીએ ફ્રિડમેનનો આભાર માન્યો
પીએમ મોદી ફ્રિડમેનનની આ વાત સાંભળીને ચોંકી ગયા. તેમણે ફ્રિડમેનને ઘન્યવાદ આપતા કહ્યું કે, ‘મારા સન્માનમાં આ ઉપવાસ રાખવા માટે હું તમારો ખૂબ આભારી છું. તેમણે ઉપવાસ દરમિયાનના પોતાના અનુભવ પણ શેર કર્યા. પીએમ મોદીએ જણાવ્યું કે ‘ઉપવાસ એક પ્રચીન કથા છે જેનાથી જીવનને બદલી શકાય છે. ઉપવાસ રાખવાથી મનની ઈન્દ્રિયો તેજ થઈ જાય છે’.
પીએમ મોદીએ ઉપવાસ દરમિયાનના પોતાના અનુભવો જણાવ્યા
પીએમ મોદીએ જણાવ્યું હતું કે ‘ઉપવાસથી તમારી તમામ ઈન્દ્રિયો જાગૃત થઈ જાય છે અને તમારી નિરીક્ષણ કરવાની ક્ષમતા વધી જાય છે. મેં આ પોતે અનુભવ કર્યો છે’. તેમણે ઉપવાસ કરવા પાછળનું આધ્યાત્મિક મહત્વ પણ સમજાવ્યું. તેમણે જણાવ્યું કે ‘આપણા શાસ્ત્રોમાં મન, આત્મા, શરીર, બુધ્ધિ અને માનવતાને કઈ રીતે સક્રિય કરી શકાય તે વિશે જણાવવામાં આવ્યું છે. જેના માટે ઉપવાસ પણ તેની એક રુપરેખા છે’.


