લિયોનેલ મેસ્સીએ GOAT ટૂર હેઠળ ભારતના ત્રણ દિવસ પ્રવાસ પર હતા. મહાન ફૂટબોલર મેસ્સી પોતાના આ પ્રવાસના અંતિમ દિવસે ગુજરાતના મહેમાન બન્યા હતા. લિયોનેલ મેસ્સી જામનગર ખાતે આવેલા અનંત અંબાણીની ‘વનતારા’ની મુલાકાત લીધી હતી. અનંત અંબાણીનું ‘વનતારા’ જોઈ મેસ્સી પ્રભાવિત થયા. તેમને આ સ્થાન એટલું બધું ગમી ગયું કે તેમણે ફરી ભારત આવવાની ઇચ્છા વ્યક્ત કરી અને વચન આપ્યું કે જયારે પણ ભારત આવશે ત્યારે વનતારામાં જરૂર આવશે.
વનતારાની મુલાકાતે લિયોનેલ મેસ્સી
ભારત પ્રવાસના અંતિમ દિવસે મેસ્સી 15 ડિસેમ્બરની રાત્રે જામનગર પહોંચી ગયા હતા. બીજા દિવસે સવારે તેમણે અનંત અંબાણીના વનતારા વન્યજીવ બચાવ અને સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. વનતારાના ખાસ મહેમાન બનેલા મેસ્સીનું અંબાણી પરિવાર દ્વારા પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું. ત્યાં મેસ્સી સૌ પ્રથમ ભગવાનને નમન કરી આર્શીવાદ લીધા અને આરતીનો પણ લાભ લીધો. મેસ્સીએ વનતારામાં સિંહ, વાઘ, ચિત્તો, હાથી, સરિસૃપ અને અન્ય બચાવેલા વન્યજીવ જોયા. તેમજ વન્યજીવોની સંભાળ રાખતી સંરક્ષણ ઇકોસિસ્ટમ જોઈ મેસ્સી પ્રભાવિત થયા હતા. મેસ્સી વનતારામાં થતી આ પ્રકારની કામગીરીની ખૂબ પ્રશંસા કરી.
GOAT ટૂર હેઠળ લિયોનેલ મેસ્સી
મહાન ફૂટબોલરોમાંના એક, મેસ્સીએ ગુજરાતના જામનગર જિલ્લામાં આવેલા વંતારાની મુલાકાત લેતા પહેલા ભારતીય શહેરો કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હીનો પ્રવાસ કર્યો હતો. GOAT ટૂરમાં લિયોનેલ મેસ્સીએ સેલેબ્સ અને સ્ટાર્સ સાથે મુલાકાત કરી હતી. સેલિબ્રિટી સાથે મેચ રમવાનો આનંદ પણ લીધો. લિયોનેલ મેસ્સીની ભારત મુલાકાત માત્ર રમતગમતના ચાહકો માટે જ નહીં પરંતુ મનોરંજન જગત માટે પણ ખાસ બની ગઈ છે.
અનંત અંબાણીનું વનતારા
વંતારાની સ્થાપના અનંત અંબાણી દ્વારા કરવામાં આવી હતી, અને તે આ વર્ષની શરૂઆતમાં ખુલી હતી. તે એક વન્યજીવન બચાવ, પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર છે જે વિશ્વભરના બચાવાયેલા પ્રાણીઓને અદ્યતન સંભાળ પૂરી પાડે છે, જેમાં હાથી, મોટી બિલાડીઓ અને પક્ષીઓ પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેમાં પ્રાણીઓને ખવડાવવા માટે મેગા રસોડું અને સીટી સ્કેન અને વધુ સહિત અદ્યતન સંભાળ સુવિધાઓ જેવી સુવિધાઓ છે. તે 3,500 એકર વિસ્તારમાં ફેલાયેલું છે.
આ પણ વાંચો : U19 Asia Cup 2025 : એશિયા કપમાં સેમીફાઈનલમાં ભારત સામે પાકિસ્તાન નહીં પણ આ ટીમ ટકરાશે!


