By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    16 minutes ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    1 hour ago
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    2 hours ago
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    3 hours ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: સારી રીતે જીવવું, સારી રીતે મરવું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સારી રીતે જીવવું, સારી રીતે મરવું

Last updated: 2025/04/10 at 9:55 AM
2 months ago
Share
સારી રીતે જીવવું, સારી રીતે મરવું
SHARE

આધ્યાત્મિક ઝંખનાનો મૂળ આધાર તમારામાં એટલા માટે નથી આવતો, કેમ કે તમે ભગવાન વિશે વિચારો છો. જો લોકો ભગવાન વિશે વિચારે છે, તો તેઓ આધ્યાત્મિક નહીં બને, તેઓ બસ વધુ સારી રીતે કેવી રીતે જીવવું તે વિશે વિચારશે. જો ભગવાન આવીને તેમને આશીર્વાદ આપે, તો તેઓ વધુ પૈસા, વધુ સંપત્તિ, વધુ આરોગ્ય, બધું જ વધુ ઇચ્છશે. માત્ર જ્યારે તમે મૃત્યુ વિશે વિચારો છો, જ્યારે તમે જુઓ છો કે તમે પણ એક દિવસ મૃત્યુ પામશો, ત્યારે આ પ્રશ્નો ઉદ્ભવે છે: આ શેના વિશે છે? હું ક્યાં જઈશ? મારું શું થશે? આ જાણવાની ઇચ્છા કુદરતી રીતે તમારામાં આવશે.

યોગમાં તે બસ જીવન વિશે નથી. જ્યારે આપણે સારી રીતે જીવવા વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે ખરેખર સારી રીતે મરવા વિશે પણ વાત કરી રહ્યા છીએ. એ ખૂબ મહત્ત્વનું છે કે તમે સારી રીતે મૃત્યુ પામો. શાલીન રીતે અને આનંદથી મૃત્યુ પામવું ખૂબ મહત્ત્વનું છે. મૃત્યુ તમારા જીવનમાં તમે કરી શકો તેવી અંતિમ વસ્તુ છે. શું તમારે તે શાલીન રીતે અને સરસ રીતે ન કરવું જોઈએ? પણ મોટાભાગના લોકો તે ભયાનક રીતે કરી રહ્યા છે.

જ્યારે આપણે આધ્યાત્મિક સંભાવના કહીએ છીએ, જ્યારે આપણે આધ્યાત્મ કહીએ છીએ, તો તે જીવવાનો એક રસ્તો છે, પણ તે મરવાનો એક રસ્તો પણ છે, કેમ કે જીવવું અને મરવું અલગ નથી. અત્યારે હું કહી શકું કે તમે જીવી રહ્યા છો અથવા તમે મરી રહ્યા છો. મરવાની પ્રક્રિયા ખરેખર ચાલુ છે, એક દિવસ તે પૂર્ણ થશે. બસ એટલું જ છે કે `મૃત્યુ’ શબ્દ સાથે ખૂબ નકારાત્મકતા જોડાયેલી છે, પણ મૃત્યુ ચોક્કસ જીવનનો એક ભાગ છે, જે કેવી રીતે મરવું તે નથી જાણતા, જે મરવા માટે તૈયાર નથી, તે જીવી શકતા નથી. જો તમે મૃત્યુથી ડરો છો, તો તમે બસ જીવનને ટાળશો, તમે મૃત્યુને ટાળી શકતા નથી. એવું નથી કે બસ એક ચોક્કસ ઉંમર પછી જ તમારે તેને જોવું જોઈએ. તમારા જીવનના દરેક દિવસે તમારે જાગરૂક રહેવું જોઈએ કે તમે મરણશીલ છો. તમે એક ચમત્કાર જેવા છે. તમે ક્યાંકથી આવી પડો છો, તમે વચ્ચે વ્યસ્ત છો અને એક દિવસ તમે ચાલ્યા જાઓ છો. તમે એક પરપોટા જેવા છો. જ્યારે પરપોટો હોય છે, ત્યારે તે ખૂબ વાસ્તવિક લાગે છે.

જો તમે આ જીવનને અત્યારે જુઓ : શ્વાસ લેવો, શ્વાસ છોડવો, શ્વાસ લેવો, શ્વાસ છોડવો, જો પછીનો શ્વાસ ન આવે, તો પૂરું. જીવન આટલું નાજુક છે. લોકો હંમેશાં વિચારે છે કે મૃત્યુ એવું કંઈક છે જે બીજા કોઈને આવે છે એવું નથી, તે તમને અને મને આવશે.

જો તમે દરરોજ તમારી જાતને યાદ અપાવો કે તમે પણ મૃત્યુ પામશો, તો કુદરતી રીતે તમે બોધના ઊંચા સ્તરોને જાણવા તરફ આગળ વધશો. જો તમે તમારા જીવનની મરણશીલ પ્રકૃતિ વિશે જાગરૂક છો, તો શું કોઈની સાથે ગુસ્સે થવાનો સમય છે, શું કોઈની સાથે ઝઘડવાનો સમય છે, શું જીવનમાં કંઇ મૂર્ખતાભર્યું કરવાનો સમય છે? એકવાર તમે મૃત્યુને સ્વીકારો અને તમે જાગરૂક હોવ કે તમે મૃત્યુ પામશો, તો તમે તમારા જીવનની દરેક ક્ષણને શક્ય તેટલી સુંદર બનાવવા માંગશો. બસ એ લોકો જ લડી શકે છે અને છેક મૃત્યુ સુધી લડી શકે છે જેઓ માને છે કે તેઓ અમર છે. જેઓ સતત અસ્તિત્વની મરણશીલ અને નાજુક પ્રકૃતિ વિશે જાગરૂક છે, તેઓ એક પણ ક્ષણ ગુમાવવા માંગતા નથી. તેઓ કુદરતી રીતે જાગરૂક રહેશે. તેઓ કોઈ પણ વસ્તુને નિશ્ચિત ગણી શકતા નથી. તેઓ ખૂબ ઉદ્દેશ્યપૂર્વક જીવશે.

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health: આયર્નની ઊણપ થશે દૂર, શરીરને મળશે તાકાત, આ ડ્રાયફ્રૂટ છે પાવરફુલ
હેલ્થ

Health: આયર્નની ઊણપ થશે દૂર, શરીરને મળશે તાકાત, આ ડ્રાયફ્રૂટ છે પાવરફુલ

By 6 days ago
મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા
BCCIનો મોટો નિર્ણય, બદલાઈ ગઈ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની આખી સિસ્ટમ!
Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
RCBની ટીમ IPLનું પહેલું ટાઈટલ જીત્યા બાદ વેચાઈ જશે? સામે આવ્યો રિપોર્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?