- ચૂંટણી પંચ પાસે કોંગ્રેસે કરી માંગ
- ઇવીએમ અંગે શંકા હોવા અંગે ચર્ચા કરવા માગ્યો સમય
- કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ચૂંટણી પંચને લખ્યો પત્ર
આગામી દિવસોમાં આવનારી લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓએ કમર કસી છે. તો બીજી તરફ કોંગ્રેસ હજી વિધાનસભાામાં થયેલી હારને હજી ભૂલી શકી નથી. ત્યારે ફરી એકવાર વિપક્ષી દળોએ ઇવીએમનો મુદ્દો ઉછાળ્યો છે. જેમાં ખાસ કરીને કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે મુલાકાત માટે સમયની માંગણી કરી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર પાસે કોંગ્રેસે માગ્યો સમય
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કમિશનને પત્ર લખીને નિમણૂકની માંગણી કરી છે. તેમણે ઈન્ડિયા એલાયન્સ વતી મળવા માટે સમય માંગ્યો છે. ઇન્ડિ ગઠબંધન VVPAT પર પોતાનો અભિપ્રાય આપવા માંગે છે. તે VVPAT પર ચર્ચા કરવા માટે મળવા માંગે છે. વિપક્ષ VVPAT પર શંકા દૂર કરવા માંગે છે. જયરામ રમેશે પત્રમાં એમ પણ લખ્યું છે કે અમે VVPAT પર અમારો અભિપ્રાય વ્યક્ત કરવા માંગીએ છીએ. 9મી ઓગસ્ટ અને 20મી ડિસેમ્બરના રોજ પણ વિનંતી કરવામાં આવી હતી. વારંવાર વિનંતી કરવા છતાં સમય મળ્યો ન હતો. અમારી વિનંતીનો કોઈ જવાબ મળ્યો ન હતો.
જયરામ રમેશે પત્રમાં શું લખ્યું?
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારને લખેલા પત્રમાં જયરામ રમેશે જણાવ્યું હતું કે 20 ડિસેમ્બર, 2023 ના રોજ, ગઠબંધનની બેઠકમાં પસાર કરાયેલા ઠરાવના આધારે વીવીપેટના ઉપયોગ પર ચર્ચા કરવા અને અભિપ્રાય આપવા માટે ચૂંટણી પંચને સમય આપવા અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, અમે આ પ્રસ્તાવની કોપી આપવા માટે ECIને મળવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ હજુ સુધી અમે સફળ થયા નથી.
VVPAT સ્લિપ મતદારોને સોંપવામાં આવે
સાથે જ જણાવ્યું કે હું ફરી એકવાર વિનંતી કરું છું કે ઈન્ડિયા એલાયન્સના નેતાઓની 3-4 સભ્યોની ટીમને તમને અને તમારા સાથીદારોને મળવાની તક આપવામાં આવે અને VVPAT પર તેમનો અભિપ્રાય આપવા માટે થોડી મિનિટોનો સમય આપવામાં આવે. વધુમાં જણાવ્યુ કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની કાર્યપ્રણાલી નિર્વિવાદિત હોવાને લઇને શંકા છે. સાથે જ અભિપ્રાય આપ્યો કે VVPAT સ્લિપ મતદારોને સોંપવામાં આવે અને 100 ટકા ગણતરી પછી કરવામાં આવે.


