- મધ્ય પ્રદેશના મૈહર જિલ્લામાં વિરોધીઓ પર ગરજ્યા સિંધિયા
- “માતા શારદાના આશીર્વાદથી આ વખતે ફરી ભાજપની સરકાર”
- 2003 બાદ આજે મધ્ય પ્રદેશ દેશનું નંબર 1 રાજ્ય બની રહ્યું
મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર બોલતા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં આજે મધ્યપ્રદેશ એક બીમાર રાજ્યમાંથી બેમિસાલ રાજ્ય બની ગયું છે.
સિંધિયાએ મૈહરના ઘંટાઘરમાં સંબોધી ચૂંટણી સભા
આજે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મૈહરના ઘંટાઘર ખાતે આયોજિત ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યું કે, આ મૈહાર વિંધ્ય ક્ષેત્રનો એક ભાગ છે જેની સાથે સિંધિયા પરિવારનો હંમેશા ગાઢ સંબંધ રહ્યો છે. માતા શારદાની કૃપા રહી છે. મારી દાદી, ભૂતપૂર્વ રાજમાતા, તેમના જીવનની દરેક મહત્વપૂર્ણ ક્ષણોમાં મૈહરવાલી માતાના આશીર્વાદ લેતા હતા.
“માતા શારદાના આશીર્વાદથી આ વખતે ફરી ભાજપની સરકાર”
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ભાજપના ‘ગરીબ કલ્યાણ, સુશાસન અને સેવા’ના સંકલ્પની સફળતાને કારણે આજે મધ્યપ્રદેશ દેશનું નં. 1 રાજ્ય બની રહ્યું છે. 2003ની સરખામણીમાં આજે રાજ્યમાં જે પરિવર્તન આવ્યું છે તેના કારણે મહિલાઓ સશક્ત થઈ છે, ખેડૂતો ખુશખુશાલ થયા છે અને યુવાનો પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે. સિંધિયાએ એમ પણ કહ્યું કે, આ કમળની નિશાની અને શ્રી શિવરાજ સિંહ ચૌહાણનો મહિમા છે કે આજે મૈહર એક જિલ્લો બની ગયો છે અને અહીં મા શારદા લોકના નિર્માણનું કામ શરૂ થયું છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પર કર્યા પ્રહારો
કોંગ્રેસ પર નિશાન સાધતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ભાજપ લોકોના દિલમાં છે, જ્યારે કોંગ્રેસ પોતાની સરખામણી સિનેમાના પાત્રો સાથે કરી રહી છે. આ કોંગ્રેસની ઈચ્છા છે. કોંગ્રેસ ભલે જય અને વીરૂ બની જાય. ભાજપ એ લોકોના દિલમાં વસેલો પક્ષ છે.