- નડિયાદ સંતરામ મંદિરના 193મા સમાધિ મહોત્સવ નિમિત્તે શિવમહાપુરાણ કથા
- આગામી 24 ફેબ્રુઆરી એટલે કે મહાસુદ પૂર્ણિમાના રોજ દિવ્ય સાકર વર્ષા યોજાશે
- વડતાલ સ્વા.મંદિરમાં તા.14મીના રોજ 198મી શિક્ષાપત્રી જ્યંતી ધામધૂમપૂર્વક ઊજવાશે
સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સંતરામ મંદિરના 193માં સમાધિ મહોત્સવ નિમિત્તે આગામી દિવસોમાં ભારતના વિખ્યાત કથાવ્યાસની કથા યોજાશે. નડિયાદના આંગણે શ્રી શ્રી 1008 પ.પૂ. મા કનકેશ્વરીદેવીજીના શ્રીમુખે સૌપ્રથમ વખત શિવમહાપુરાણ કથાનું આયોજન થયું છે. આગામી દિવસોમાં દરરોજ સવારે યોજાનાર આ કથા મહોત્સવમાં ગુજરાતભરના સંતો, મહંતો અને શ્રી સંતરામ મંદિરના શાખા મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહેશે. નડિયાદના શ્રી સંતરામ મંદિર ખાતે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 193માં સમાધિ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલુ થઇ ગઇ છે. આગામી 24 ફેબ્રુઆરીએ સાકરવર્ષા અને સંતરામ મેળો ભરાશે.આ ઉપરાંત ભક્તિમય ગાન, સંગીતમય કાર્યક્રમ, ભક્તિ સંગીત ગરબા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વળી 13 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ સવારે 10 થી 1 કલાકે સંતરામ મંદિરના લીમડાચોકવાળા કથામંડપ ખાતેસુપ્રસિદ્ધ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પ.પૂ. માં કનકેશ્વરી દેવીજી દ્વારા શ્રી શિવમહાપુરાણ કથા યોજાશે.
4થી ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી રામચરિત માનસ નવાન્હ પારાયણ, સંતરામ વૃંદ દ્વારા શ્રી યોગીરાજ માનસ કથા સત્ર, 23 ફેબ્રુઆરીએ શ્રી ગુરુ પાદુકા પૂજન, સંતવૃંદ અને ભક્તો દ્વારા 21 ફેબ્રુઆરીએ શ્રી રામચરિત માનસ સમૂહ પારાયણ (અખંડ) યોજાશે. વળી આ મહોત્સવ દરમ્યાન તા. 13 થી 20 ફેબ્રુઆરી દરમ્યાન દરરોજ સાંજે 7.30 કલાકથી પદગાન ભજન સંધ્યા પણ યોજાશે. જેમાં અશ્વિન જોશી (મા-બાપને ભૂલશો નહીં), આનંદનો ગરબો, અવિનાશ બારોટ દ્વારા સંગીતમય કાર્યક્રમ, સદાશીવ દવે અને સ્મૃતિ દવે દ્વારા ભક્તિમય ગાન (શિવનાદ વૃંદ) અને રીંકુબેન પટેલ દ્વારા ભક્તિ-સંગીત ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ સર્વે ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ભક્તોને એક અખબારી યાદી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ખેડા :વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે તા.14મી ફેબ્રુઆરીને વસંત પંચમીના શુભદિને 198મી શિક્ષાપત્રી જયંતિની ઉજવણી ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવનાર છે. આ પ્રસંગે તા.14ના રોજ શ્રી શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. વસંત પંચમી મહોત્સવ અંતર્ગતતા. 10 ફેબ્રુઆરી થી તા. 14 ફેબ્રુઆરી સુધી પંચ દિનાત્મક શિક્ષાપત્રી ભાષ્ય પંચાન્હ પારાયણ યોજાનાર છે.વડતાલ મંદિરના કોઠારી ડો. સંતસ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ જીવોના હિતાર્થે વડતાલ મંદિરના પટાંગણમાં આવેલ શ્રી હરિમંડપ ખાતે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી. જેમાં આચાર્યશ્રી, સંતો, બ્રહ્મચારી, ભક્તો આચાર્યના પત્ની અને સધવા-વિધવા મહિલાઓને પાળવાના નિયમો બતાવ્યા છે. વસંત પંચમીના શુભદિને શ્રી શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ છે. તા.10 થી તા. 14 ફેબ્રુઆરી સુધી શિક્ષાપત્રી ભાષ્ય પંચાન્હ પારાયણ યોજાનાર છે. જેના વક્તા પદે નીલકંઠચરણદાસજી સ્વામી (જેતપુર) તથા શાસ્ત્ર્રી વિવેકસાગર દાસજી (કલાકુંજ) નાઓ કથામૃતનું રસપાન કરાવશે. કથાનો સમય દરરોજ સવારે 8.30 થી 11.00 તથા સાંજે 3.00 થી 6.00 રાખવામાં આવેલ છે. વર્ષમાં ફ્ક્ત વસંતપંચમીના દિવસે જ મહિલાઓને હરિમંડપમાં દર્શન તથા શિક્ષાપત્રી પઠનનો લાભ આખો દિવસ મળી રહે છે.


