- છત્રપતિ સંભાજીનગરમાં એક દર્દનાક અકસ્માત થયો
- આગ એટલી ગંભીર હતી કે એક જ પરિવારના 7 લોકોના મોત થયા
- 7 લોકોમાં 3 મહિલાઓ, 2 બાળકો અને 2 પુરૂષોનો સમાવેશ
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક દર્દનાક અકસ્માત થયો છે. સંભાજીનગરના છાવણી વિસ્તારમાં આવેલા એક મકાનમાં રાત્રે આગ ફાટી નીકળી હતી. આગ એટલી ગંભીર હતી કે એક જ પરિવારના 7 લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ માર્યા ગયેલા 7 લોકોમાં 3 મહિલાઓ, 2 બાળકો અને 2 પુરૂષોનો સમાવેશ થાય છે. બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે પરિવાર સૂતો હતો. હાલ તમામ મૃતદેહોને છત્રપતિ સંભાજી નગરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ગ્રાઉન્ડ ફ્લોર પર કપડાની દુકાન હતી
સરકારી હોસ્પિટલની બહાર પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે ઈમારતમાં આગ લાગી તે ત્રણ માળની ઈમારત હતી.ગ્રાઉન્ડ ફ્લોર પર કપડાની દુકાન હતી, જેમાં આગ લાગી હતી. આગના કારણે ઉપરના માળે રહેતા પરિવારનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.
પોલીસ કમિશનરનું નિવેદન બહાર આવ્યું
જે ઈમારતમાં આગ લાગી તે ત્રણ માળની ઈમારત હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર કપડાની દુકાન હતી, જેમાં આગ લાગી હતી. આગના કારણે ઉપરના માળે રહેતા પરિવારનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. આગ લાગી ત્યારે પરિવાર બિલ્ડીંગમાં સૂતો હતો. આ માહિતી છત્રપતિ સંભાજીનગર પોલીસ કમિશનર મનોજ લોહિયાએ આપી છે.
નવી મુંબઈમાં પણ આગ લાગી હતી
થોડા સમય પહેલા જ નવી મુંબઈમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડા કેટલાય મીટર દૂરથી જોઈ શકાતા હતા. ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ કેમિકલ ફેક્ટરી નવી મુંબઈના MIDC વિસ્તારમાં આવેલી હતી. આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા


