By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વેદનો અજ્ઞાત ભાગ શોધનાર મહર્ષિ ઐતરેય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

વેદનો અજ્ઞાત ભાગ શોધનાર મહર્ષિ ઐતરેય

agragujaratnews
Last updated: 2024/09/26 at 5:47 AM
1 year ago
Share
વેદનો અજ્ઞાત ભાગ શોધનાર મહર્ષિ ઐતરેય
SHARE

આખાયે સંસારમાં સૌથી પ્રાચીન ગ્રંથ આપણા વેદ છે. વેદ કુલ ચાર છે-ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ તથા અથર્વવેદ, આ પ્રત્યેક વેદને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જેમાંથી એક ભાગને મંત્ર તથા બીજા ભાગને બ્રાહ્મણ કહેવામાં આવે છે. જે ગ્રંથોમાં મંત્રોનો સંગ્રહ છે તેને સંહિતા તરીકે ઓળખવામાં આવે છે.

બ્રાહ્મણના ત્રણ ઉપભાગ થયા બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. બ્રાહ્મણ ગ્રંથ મનુષ્યના નિત્ય કર્મકાંડ સાથે સંબંધિત છે. તેમાંથી એક ઐતરેય કહેવાય છે. જેમાં ચાલીસ અધ્યાય છે. આ ઐતરેય બ્રાહ્મણનો આવિર્ભાવ કેવી રીતે થયો તે ખૂબ જ રસપ્રદ છે.

માણ્ડુકી નામના એક ઋષિ હતા તેમની પત્નીનું નામ ઈતરા હતું. તેઓ બંને ભગવાનના ભક્ત હતાં તથા અત્યંત પવિત્ર જીવન વ્યતીત કરતાં હતાં. બંને એકબીજાનું ધ્યાન રાખતાં હતાં તથા સુખપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરી રહ્યાં હતાં. તેમને માત્ર નિ:સંતાન હોવાનું દુ:ખ હતું. ઘણો સમય વીત્યા પછી પુત્રપ્રાપ્તિની ઈચ્છાથી બંનેએ કઠોર તપસ્યા કરી તથા ભગવાને તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમની ઈચ્છાને પૂરી કરી. તેમના ઘરે એક પુત્રરત્નનો જન્મ થયો, જે ખૂબ જ સુંદર અને આકર્ષક હતો. આ બાળક તેમની મહાન તપસ્યાનું ફળ હતું. જોકે, બાળપણથી જ આ બાળક અલૌકિક તથા ચમત્કારપૂર્ણ ઘટનાઓનો જનક હતો, પરંતુ તે હંમેશાં ચૂપ જ રહેતો હતો. ઘણા સમય પછી તેણે બોલવાનું શરૂ કર્યું. આશ્ચર્યની વાત તો એ હતી કે તે જ્યારે પણ બોલતો ત્યારે વાસુદેવ…વાસુદેવ જ કહેતો. આઠ વર્ષ સુધી તેણે વાસુદેવ સિવાય બીજો કોઈ શબ્દ જ ન ઉચ્ચાર્યો. તે આંખો બંધ કરીને ચૂપચાપ ધ્યાન કર્યા કરતો. તેના ચહેરા પર તેજ વરસતું હતું અને આંખોમાં તીવ્ર ચમક હતી.

આઠ વર્ષે બાળકને યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવ્યો તથા પિતાએ તેને વેદ ભણાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે કશું જ ન ભણ્યો. બસ, માત્ર વાસુદેવ… વાસુદેવ નામનું જ સંકીર્તન કરતો રહેતો. તેના કારણે પિતા હતાશ થઈ ગયા અને તેને મૂર્ખ સમજીને તેની તરફ ધ્યાન આપવાનું બંધ કરી દીધું. પરિણામ સ્વરૂપ તેની માતા પક્ષે પણ તેમણે મોં ફેરવી દીધું. થોડાક દિવસો પછી માણ્ડુકી ઋષિએ બીજા વિવાહ કરી લીધા. જેનાથી તેમને અનેક પુત્રો થયા. મોટા થઈને એ બધા જ વેદોના તથા કર્મકાંડના મહાન જ્ઞાતા થયા. ચારે બાજુ તેમની પૂજા થતી હતી. બિચારી પૂર્વપત્ની ઘરમાં જ ઉપેક્ષિત જીવન વ્યતીત કરી રહી હતી. તે તરફ તેમના પુત્ર ઐતરેયનું જરા પણ ધ્યાન નહોતું. તે દરેક સમયે ભગવાન વાસુદેવનું નામ જપતો રહેતો અને એક મંદિરમાં પડ્યો રહેતો.

એક દિવસ માતાને અતિ ક્ષોભ થયો. તેઓ પોતાના પુત્રને મળવા માટે મંદિરમાં જ પહોંચી ગયાં અને કહેવા લાગ્યાં કે તારા હોવાથી મને શું લાભ થયો? તને તો કોઈ પૂછતું જ નથી, પરંતુ મને બધાં જ ઘૃણાની દૃષ્ટિથી જુએ છે. કહે કે આવું જીવન જીવવાનો શો લાભ? માતાની આવી દુ:ખભરી વાણી સાંભળીને ઐતરેયને કંઈક ધ્યાન આવ્યું અને તે બોલ્યોઃ માતા, તમે તો સંસારમાં આસક્ત છો, જ્યારે આ સંસાર અને તેના બધા ભોગ જ નાશવંત છે. માત્ર ભગવાનનું નામ જ સત્ય છે. હું તેનો જ જાપ કરું છું, પરંતુ હવે હું સારી રીતે સમજી ગયો છું કે મારી માતા પ્રત્યે પણ મારું કર્તવ્ય છે. હું હવે તેને પૂર્ણ કરીશ અને તમને એવા પદ પર આસીન કરાવીશ જ્યાં અનેક યજ્ઞો કરીને પણ પહોંચી શકાતું નથી. એ કાળમાં આપણા ઋષિમુનિઓએ દેવશક્તિને શોધી કાઢી હતી. તે તેને પ્રસન્ન તથા સંતુષ્ટ કરીને જગાડતા હતા તથા પોતાની પ્રત્યેક મનોકામનાને તેના દ્વારા પૂરી કરતા હતા. આ શક્તિ સમગ્ર વિધિ-વિધાન દ્વારા યજ્ઞો કરીને પ્રાપ્ત થઈ હતી. ઐતરયે પણ આમ જ કર્યું. તેણે ભગવાન વિષ્ણુની સાચા હૃદયથી પ્રાર્થના કરી જે વેદમાં અંકિત છે તથા તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક વિધિ-વિધાનનો આશ્રય લીધો. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ ગયા અને સાક્ષાત્ પ્રગટ થઈને ઐતરેય અને તેમની માતાને આશીર્વાદ આપ્યા. ભગવાન વિષ્ણુનાં દર્શન કરીને તેઓ પોતાના જીવનને ધન્ય માનવા લાગ્યા. આ તેમના પુત્રની તપસ્યાનું જ ફળ હતું જે માતાને પણ પ્રાપ્ત થયું. ઐતરેય તો જાણે વિહવળ થઈ ગયા. તેની આંખોમાંથી અશ્રુઓની જળધારા વહેવા લાગી. તેમણે ભગવાનને કરબદ્ધ પ્રાર્થના કરી અને પોતાના તથા પોતાની માતા માટે શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય તેવા આશીર્વાદ માગ્યા.

ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમે વેદોનું અધ્યયન નથી કર્યું, પરંતુ મારી કૃપાથી તમે બધા જ વેદોના જ્ઞાતા બની જશો. તમે વેદના એક અજ્ઞાત ભાગની શોધ કરશો, જે તમારા નામ સાથે જોડાઈને ઐતરેય બ્રાહ્મણ કહેવાશે. વિવાહ કરો, ગૃહસ્થી વસાવો તથા બધાં જ કર્મો કરો, પરંતુ તે બધા જ મને સમર્પિત કરી દો. અર્થાત્ એમ વિચારીને કરો કે તે મારો આદેશ છે. તેમાં ક્યારેય આસક્ત ન થશો. એક સ્થાન કે જે કોટિતીર્થના નામે ઓળખાય છે ત્યાં જાઓ. ત્યાં હરિમેધા યજ્ઞ કરી રહ્યા છે. તારા જેવા વિદ્વાનની ત્યાં જવાથી તારાં માતાની ઈચ્છાઓ પણ પૂરી થઈ જશે. આટલું કહીને ઐતરેયના શીશ પર હાથ રાખીને ભગવાન વિષ્ણુ અંતર્ધાન થઈ ગયા.

માતાનું હૃદય પોતાના પુત્રને માટે મમતાને બદલે શ્રદ્ધાથી ઓતપ્રોત થઈ ગયું, કારણ કે તેને લીધે જ તેમને ભગવાનનાં દર્શન થયાં હતાં તથા પોતાની માતાને કારણે જ તેઓ ભગવાનના નામ સિવાય કંઈક બોલ્યા હતા. હવે માતા અને પુત્ર બંને ભગવાનની આજ્ઞાનું પાલન કરીને હરિમેધાના યજ્ઞમાં પહોંચી ગયાં. ત્યાં જઈને ઐતરેયે ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત પ્રાર્થનાનું ગાન કર્યું. તેમને સાંભળીને તથા તેના તેજ અને વિદ્વત્તાથી બધા જ ઉપસ્થિત વિદ્વાન પ્રભાવિત થઈ ગયા. હરિમેધાએ તેમને ઊંચા આસન પર પહોંચાડીને તેમનો પરિચય મેળવ્યો.

ઐતરેયે અહીંયાં જ વેદના નવીન ચાલીસ અધ્યાયનો પાઠ કર્યો, જે હજુ સુધી અજ્ઞાત હતા. ત્યારબાદ તે ઐતરેય નામથી વિખ્યાત થયા. હરિમેધાએ ઐતરેયને સુયોગ્ય વર સમજીને પોતાની પુત્રીના વિવાહ તેની સાથે કરી દીધા. ઐતરેયની માતાની આવો વિદ્વાન તથા તપસ્વી પુત્રને જન્મ આપવા બદલ તેમની પ્રશંસા કરી અને ઐતરેય કરતાં પણ વધારે સન્માન પ્રદાન કર્યું. માતા પોતાના પુત્ર પાસે જે પણ કામના કરતી હતી તે બધી જ તેમને પ્રાપ્ત થઈ ગઈ હતી. હવે તે સુખપૂર્વક પોતાના પુત્ર તથા પુત્રવધૂ સાથે રહેવા લાગ્યાં. આમ, મહર્ષિ ઐતરેયનું નામ સદાયને માટે અમર થઈ ગયું.

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
રાજકોટ

 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ

Editor By Editor 6 days ago
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?