સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક
સાદામાં શિક્ષા કથે, એ જ કવિજન એક જગતના ઇતિહાસમાં પોતાની સળંગ અને સ્વયંસંપૂર્ણ ફિલસૂફી આપનારા મહાપુરૂષો જૂજ થયા છે, તેમાંય એવી ફિલસૂફીને તર્ક અને ગગનવિહાર પરથી વ્યાવહારિકતાની સપાટી પર લાવીને કસોટીમાં પાર ઉતારનાર મહાપુરૂષો તો ખૂબ ઓછા થયા છે. આવી જૂજ વિભૂતિઓની હરોળમાં બેસી શકે અને તેમાં પોતાના વ્યકિતત્વના તેજથી બહાર તરી આવે એવી એક અનોખી વિભૂતિ તે ગાંધીજી.
પોતાના જીવનમાંથી ઉગેલી, વિકાસ પામેલી અને આચારથી પ્રસિધ્ધ થયેલી સાદી, સરળ, સંપૂર્ણ ફિલસૂફી ગાંધીજીએ જગતને આપી. સમાજશાસ્ત્ર, કેળવણી, રાજકારણ, ધર્મ, નીતિશાસ્ત્ર – જીવનના દરેક ક્ષ્ોત્રના અટપટા કોયડાઓનું નિરાકરણ કરવાના ઉપાયો તેમની પાસે હતા, એ બધાની કૂંચી હતી. સત્ય અને અહિંસા. આ સાદી કૂંચીના ઉપયોગથી તેમણે અંધકારનાં દ્વાર ખોલીને પ્રકાશ રેલાવ્યો. આ જ કૂંચી (માસ્ટર કી)નો ઉપયોગ કરીને તેમણે સાહિત્યના ક્ષ્ોત્રમાં પણ અજવાળું પાથર્યું. તેના પરિણામ સ્વરૂપે જ ઈ.સ. ૧૯ર૦ થી ૧૯૪૦ સુધીનો સમય ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગ તરીકે ઓળખાયો.
તેમના સાહિત્ય વિષ્ોના ખ્યાલો આગવા હતા. તેઓ ‘જીવન ખાતર કલા’માં માનીને જીવનની દ્રષ્ટિથી જ સાહિત્યને રજૂ કરવાનો અને માપવાનો પ્રયાસ કરે છે. સાહિત્ય અને કળાને જીવનની દાસી ગણીને તેમાં કલ્પનાને બદલે સત્ય અને સરળતાને સ્થાન આપે છે.
પોાના આ વિશિષ્ટ દ્રષ્ટિકોણથી તેમણે અનેક લેખકો અને કવિઓને પ્રેરણા આપી. તેમનો મત એ હતો કે ઉત્તમ સાહિત્ય સત્યનિષ્ઠા અને સહૃદયતામાંથી જન્મે છે. પોતાના સીધી–સાદી–સરળ શૈલીમાં લખાયેલા ઉમદા સાહિત્યથી તેઓ સમગ્ર હિન્દુસ્તાનમાં ખ્યાતનામ બન્યા.
જીવનમાંથી પ્રગટેલ સાહિત્ય
ગાંધીજીએ જે કંઈ સાહિત્યનું સર્જન કર્યું તે માત્ર સાહિત્યસર્જન માટે લખાયું ન હતું પણ તે દ્વારા તેમને તો સત્ય અહિંસાના અન્વયે પોતાના દેશના દરિદ્રનારાયણોની સેવા કરવી હતી. પોતાના જીવનમાંથી પ્રાપ્ત થયેલ અનુભવાનંદને વ્યકત કરવા, લોકોમાં વહેંચવા માટે તેમણે સાદી–સરળ ભાષામાં લખાણો લખ્યા અને એટલે જ તેમનાં લખાણોમાં નિબંધનો પ્રકાર સવિશેષ ખેડાયો.
કુશળ તર્કશાસ્ત્રીની છટાથી રચાયેલ અને પોતાની અપૂર્વ પ્રતિભાને વ્યકત કરતાં તેમનાં લખાણોની પ્રશંસા કરતાં શ્રી રમણલાલ દેસાઈ જણાવે છે કે, ”ગાંધીજી હિંદના યુગ પ્રવર્તક છે, એટલું જ નહીં ગુજરાતી સાહિત્યના પ્રેરક છે.”
સાહિત્યમાં વિલાસ ગાંધીજીને ખપતો ન હતો. તેમણે તો પોતાનું લખાણ ગામડે ગામડે પહોંચીને લોકભાગ્ય બને તે વધારે અગય્તનું માન્યુ હતું. ઈશ્વર, ધર્મ, સમાજ–સુધારણા, રાજકારણથી માંડીને સફાઈ, વૈદક, ઘરગથ્થુ ઉપયોગી વિષયો ઉપર તેમની કલમ ચાલી અને તેમના સાહિત્યનો વાચક કોસ ચલાવનાર કોસિયાથી માંડીને વિદ્વાનવર્ગ હતો.
‘શીલ તેવી શેલી’ સૂત્ર ગાંધીજીને બરાબર લાગુ પડે છે. સીધી, સાદી સરળ છતાં વેધક શૈલીવાળા તેમના સાહિત્ય વિષ્ો શ્રી રા. વિ. પાઠક યોગ્ય જ કહે છે કે, ”જીવનના મહાન સિધ્ધાંતો પર સ્થિત થઈને તે બોલે છે ત્યારે તે ચિરંતન જીવનને સ્પર્શે છે.” તેમનાં ટૂંકાં, ક્રમબધ્ધ, સરળ અને સરેખ વાકયો ખગીીભત કજફત ની જેમ વાચકના હૃદય સોંસરવાં ઉતરી જાય છે. તેમની આત્મકથા વાંચતાં આપણને પાને પાને તેમની નિખાલસતા, નમ્રતા, સત્યનિષ્ઠા, સિધ્ધાંતપ્રેમ અને આધ્યાત્મિકતાની પ્રતીતિ થાય છે.
ગુજરાતી સાહિત્ય પર ગાંધીજીની અસર
ગાંધીજીના વિશાળ સાહિત્ય સર્જનની અસર ગુજરાતી સાહિત્ય પર ખૂબ ઘેરી પડેલી જણાય છે. તે અસરને કારણે જ ગાંધીયુગના સાહિત્યમાં સરળતા, સ્વાભાવિકતા જોવા મળે છે. તેમના સાહિત્યના પ્રતિબિંબરૂપે ગાંધીયુગના લખાણમાં સંયમ પોષાયો, ઉર્મિલતા પર અંકુશ મૂકાયો, અનુભવમૂલક સાહિત્યનું સર્જન થવા માંડયું અને દુ:ખોનાં શબ્દચિત્રો કરતાં તેમના દુ:ખ દૂર કરનારા લખાણની કિંમત વધી. ઉંચા સ્થાન પર બેઠેલા સાહિત્યકારો આમ જનતાની કંઈક નજીક આવ્યા, સાથે સાથે પ્રજાને સાહિત્યના મૂલ્યાંકનનું નવું ધોરણ મળ્યું.
ગાંધીજીનું જીવન એ જ તેમનું સાહિત્ય હતું તેમ કહેવામાં અતિશયોકિત નથી. ખ્યાલ ભરેલો હસતો ખીલતો ને કયારેક આકરો થઈ જતો જીવતો જાગતો ગાંધી આત્મકથાના પાનામાં બેઠો છે. ગુજરાતી ભાષામાં અક્ષરદેહ તે સૌને માટે હાથવગો છે. તેમની આંતરિક સહૃદયતાની પાછળ કલા અને શૈલી તો પરિચારિકા પેઠે આપોઆપ દોડતી આવે છે. શ્રી ક. મા. મુનશી કહે છે તેમ, ”મહાત્મા ગાંધીએ ગુજરાતી ગદ્યને નવી તાકાત આપી છે.”
”ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ, અલ્પાત્માને માપવાને સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.” વીસમી સદીના આધ્યાત્મિક ઈતિહાસનું આ સૌથી પ્રેરક ઉચ્ચારણ છે.
તમારાં જીવનનાં સંખલનોએ, તમારી અગ્નિપરીક્ષાઓએ તમને છિન્નભિન્ન નાખ્યા છે પણ તમે કલ્પાંત કરશો નહિ. તમારા વિનાશની એ ખીણમાં કે દુ:ખની ગર્તામાં પ્રભુનો પ્રેમ અને આશીર્વાદ આવ પહોંચશે, કારણ કે તમે હૃદયને શુધ્ધ કરનાર દુખાગ્નિમાંથી પસાર થઈ રહ્યા છો. તમારે તો હવે ઝળહળતાં શિખરો પર આરોહણ કરવાનું છે.


