મહીસાગરમાં ખેડૂત યુવાનની હત્યા કરવામાં આવી છે, ખેતરમાં તાપણું કરતા સમયે યુવક પર હુમલો કરાયો અને સમીર પટેલની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરાઇ છે, 7થી વધુ કુહાડીના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, યુવકની હત્યાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહીસાગરમાં યુવકની કરાઈ હત્યા
મહિસાગર જિલ્લાના સાત તળાવ ગામના ખેડૂત પર રાત્રિ દરમિયાન જીવલેણ હુમલો કરીને હત્યા કરવામાં આવી છે, ખેતરમાં રાત્રિ દરમિયાન ખેતરમાં રક્ષણ સમયે અને તાપણું કરતા સમયે અજાણ્યા શખ્સે હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે, લુણાવાડા તાલુકાના સાત તળાવ ગામના કેનાલ પાસે બની ઘટના, ઘટનાની જાણ થતા જીલ્લા પોલીસનો કાફલો પહોંચ્યો ઘટના સ્થળે.
ખેડૂતની હત્યાથી ગામમાં શોકનો માહોલ
ઘટનાની જાણ થતાની સાથે પોલીસ પણ તપાસમાં જોતરાઈ છે અને આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે, મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, મહત્વની વાત તો એ છે કે, આ હત્યાને લઈ પોલીસને શંકા છે કે, અંગત અદાવતમાં આ હત્યા થઈ હોવાનું અનુમાન છે.


