પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ માટે તત્કાલ ટિકિટ બુકિંગમાં મહત્વપૂર્ણ ફેરફારની જાહેરાત કરી છે. હવે યાત્રીઓને તત્કાલ ટિકિટ મેળવવા માટે OTP આધારિત વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ નવો ફેરફાર 1 ડિસેમ્બર 2025થી અમલમાં આવશે.
શું બદલાવ આવ્યો?
પહેલાની સિસ્ટમમાં યાત્રીઓ ફક્ત મોબાઇલ નંબર આપીને તત્કાલ ટિકિટ મેળવી શકતા હતા, પરંતુ હવે ટિકિટ ઈશ્યુ કરતા પહેલા મુસાફરના મોબાઇલ પર One-Time Password (OTP) મોકલાશે. OTP સફળતાપૂર્વક એન્ટર કર્યા બાદ જ ટિકિટ કન્ફર્મ થશે.
આ નિયમ બધા બુકિંગ વેબસાઇટ માટે લાગુ રહેશે:
• IRCTC વેબસાઇટ
• IRCTC મોબાઇલ એપ
• કોમ્પ્યુટરાઈઝ્ડ PRS કાઉન્ટર
• અધિકૃત ટ્રાવેલ એજન્ટ
ફેરફાર કેમ લાવવામાં આવ્યો?
પશ્ચિમ રેલવે અનુસાર, આ નિર્ણય પાછળ ત્રણ મુખ્ય કારણો છે:
1. Tatkal બુકિંગ સિસ્ટમમાં પારદર્શિતા વધારવી
2. બોટ્સ, ટાઉટ્સ અને એજન્ટો દ્વારા થતા દુરુપયોગને રોકવો
3. સચ્ચા યાત્રીઓને ટિકિટ મળવામાં સરળતા કરવી
નવી OTP સિસ્ટમ Misuse રોકશે
રેલવે મુજબ, ઘણી વાર એજન્ટો અથવા સોફ્ટવેર બોટ્સ એક જ સેકન્ડમાં મોટી સંખ્યામાં ટિકિટ બુક કરી લેતા હતાં, જેના કારણે સામાન્ય યાત્રીઓને Tatkal ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડતી હતી. નવી OTP સિસ્ટમ Misuseને રોકશે.
યાત્રીઓએ શું ધ્યાન રાખવું?
• ટિકિટ બુક કરતી વખતે કાર્યરત મોબાઇલ નંબર આપવો ફરજિયાત રહેશે.
• OTP ન મળે અથવા વેરિફિકેશન ન થાય તો ટિકિટ જારી નહીં થાય.
• Tatkal બુકિંગનો સમય એકસરખો રહેશે, ફક્ત વેરિફિકેશન પ્રોસેસ ઉમેરાઈ છે.


