By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    6 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    6 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    6 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    6 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: સૂર્યદેવનું મકરસંક્રાંત : શુભ કાર્યોનો શુભારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સૂર્યદેવનું મકરસંક્રાંત : શુભ કાર્યોનો શુભારંભ

Last updated: 2025/01/02 at 3:54 AM
7 months ago
Share
સૂર્યદેવનું મકરસંક્રાંત : શુભ કાર્યોનો શુભારંભ
SHARE

સમગ્ર ગ્રહોના રાજા ભગવાન સૂર્યદેવ બાર રાશિમાં લગભગ એક એક માસને અંતરે પ્રવેશ કરે છે. તેથી એક વર્ષમાં સૂર્યદેવ બાર શશિમાં પ્રવેશ કરે છે. આપણે તેને સંક્રાંતિ કહીએ છીએ. એ જ રીતે વર્ષના પણ બે ભાગ પાડવામાં આવે છે. પહેલો ઉત્તરાયણ અને બીજો દક્ષિણાયન. આ બંને અયન મળીને એક વર્ષ થાય છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની દિશા બદલીને થોડો ઉત્તરની તરફ ઢળે છે. એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરતા આ કાળ કે સમયને ઉત્તરાયણ કહે છે. મકરસંક્રાંતિ એક ખગોળીય ઘટના છે અને જેનાથી જડ અને ચેતનની દિશા અને દશા નક્કી થાય છે.

આ તહેવાર એવો છે કે જે અંગ્રેજી મહિના અનુસાર 14મી જાન્યુઆરીએ આવે છે. ભારતમાં ધાર્મિક, આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને જ્યોતિષીય દૃષ્ટિએ મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ છે. આની પહેલાં સૂર્ય ધન રાશિમાં હતો, ધન રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે ત્યારે ભારતીય પંચાંગ પ્રમાણે કમુરતાં ચાલતાં હોય છે. એટલે કે લગ્ન આદિ માંગલિક કાર્યો થતાં નથી. જ્યારે મકર રાશિમાં સૂર્ય આવતાંની સાથે જ શુભકાર્યો કરવાની લીલી ઝંડી મળી જાય છે.

વિવિધ પુરાણોમાં જણાવ્યા અનુસાર સૂર્યદેવનો જન્મ કશ્યપ મુનિના અંશ અને માતા અદિતિના ગર્ભથી થયેલો, એટલે સૂર્યદેવ આદિત્યના નામથી જગપ્રસિદ્ધ થયા. વેદો, પુરાણો અને ઉપનિષદોમાં સૂર્યદેવને સાક્ષાત્ પરબ્રહ્મના રૂપમાં પ્રતિષ્ઠિત કરેલ છે. જ્ઞાન, વિવેક, યશ, વિદ્યા, સન્માન અને આર્થિક પ્રાપ્તિ તો સૂર્ય આરાધનાથી પ્રાપ્ત થાય છે. ભારતીય પરંપરામાં તો વેદકાળથી જ સૂર્યનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. સૂર્ય એ દરિદ્રતાનો નાશ કરનાર, પાપરોગ અને દુઃખ હરનાર છે. મહર્ષિ યાજ્ઞવલ્કજીએ સૂર્યકૃપાથી જ વેદમંત્રોનું દર્શન કર્યું હતું.

મકરસંક્રાંતિના દિવસે ગાયત્રી ઉપાસનાનું પણ વિશેષ મહત્ત્વ છે. શ્રીમદ્ ભાગવતમાં કહેવાયું છે કે સૂર્ય દ્વારા જ દિશા, આકાશ, સ્વર્ગ, ધુલોક, ભૂલોક, મોક્ષ, નરક અને રસાતલ તથા સમસ્ત લોકોનું વિભાજન થાય છે. આ દિવસે શનિદેવની શાંતિ માટે, કૃપા મેળવવા માટે સુવર્ણ, કાળા તલ, લોખંડ, ઈન્દ્રજવ, નીલમ, અડદ, સરસિયું તેલ, કામળી, છત્રી, કાળું વસ્ત્ર અને ભેંસનું દાન કરવાથી સંપૂર્ણ શાંતિ થાય છે. ગ્રીક સંસ્કૃતિની સાથે ઉત્તરીય અમેરિકાથી મૂળ જાતિ-પ્રજાતિમાં સૂર્યદેવ તરીકેનું અસ્તિત્વ સ્વીકારાયું છે અને પૂજન થાય છે. જ્યારે એસ્કિમો જાતિના લોકોમાં સૂર્યનૃત્ય પણ પ્રખ્યાત છે. સ્કંદ પુરાણ અનુસાર આ દિવસે તલ, ફળ, ઘી, ગોળ, અનાજ, કપડાં, રોકડ રકમ અને સુવર્ણ દાનનો મહિમા અનેરો છે. આમ, સૂર્યદેવની આરાધના, ઉપાસના કે પૂજન-અર્ચન કરવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની આરાધનાનું ફળ મળે છે.

ઉત્તરાયણ એ સૂર્યનું પવિત્ર અયન ગણાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આઠમા અધ્યાય `અક્ષર બ્રહ્મયોગ’માં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છેઃ ઉત્તરાયનમાં મૃત્યુ પામેલા બ્રહ્મજ્ઞાની બ્રહ્મપદને પામે છે. જ્યારે પાછલા છ માસના દક્ષિણાયનમાં મૃત્યુ પામનાર ચંદ્રની જ્યોતિ પામી ફરી આલોકમાં આવે છે. મહાભારત કાળમાં અર્જુનનાં બાણોથી વીંધાઇને બાણશય્યા પર સૂતેલા અને ઇચ્છા મૃત્યુનું વરદાન ધરાવતા ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગવા માટે મકરસંક્રાંતિના દિવસની જ પસંદગી કરી હતી. આ પર્વ જીવનમાં સંકલ્પ લેવા માટેનો શુભ દિવસ પણ છે.

મકર સંક્રાંતિ મૂળ હિન્દુ ધર્મનું પર્વ છે. આર્યધર્મ અને આર્ય સંસ્કૃતિનો ઉત્સવ છે. સૂર્યને ઇશ્વર ગણતાં આર્યોના આગમનનો ઉત્સવ છે. મધ્ય એશિયાથી ઇરાન થઈ જ્યારે આર્યો હિન્દુસ્તાનમાં પ્રવેશ્યા ત્યારે તેની યાદગીરીનો ઉત્સવ મકરસંક્રાંતિ છે. કોઈને યાદ હશે ખરું કે સૂર્યનું પણ એક નામ પતંગ છે. આ દિવસે પતંગ ઉડાડવાની પરંપરાનો ઉલ્લેખ રામચરિત માનસમાં તુલસીદાસે પણ કર્યો છે. તેમાં બાલકાંડમાં ઉલ્લેખ છે કે `રામ ઇક દિન ચંગ ઉડાઈ ચંદ્રલોક મેં પહૂંચી ગઈ’. ત્રેતાયુગમાં આવા ઘણા પ્રસંગ છે જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાડી હતી.

સૂર્યઉપાસનાથી જ યુધિષ્ઠિરને

અક્ષયપાત્ર પ્રાપ્ત થયું હતું

મહાભારતના વન- પર્વમાં આવતા ઉલ્લેખ અનુસાર સૂર્ય ઉપાસનાથી જ યુધિષ્ઠિરને અક્ષયપાત્ર પ્રાપ્ત થયું હતું માટે મકરસંક્રાંતિ એ સૂર્ય ઉપાસના માટેનો શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે જપ, તપ, દાન, સ્નાન અને સૂર્યદેવની વિવિધ પ્રકારે આરાધના કરવાથી પુણ્યકાળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ગુપ્તદાન અને જ્ઞાનદાનનો મહિમા ખાસ ગણાવ્યો છે.

મકરસંક્રાંતિના દિવસે વહેલી સવારે નદી અથવા સરોવરમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. જો ત્યાં જઈ શકાય તેમ ન હોય તો પોતાના ઘરમાં જ શુદ્ધ જળમાં તલ તથા ગંગાજળ નાખીને સ્નાન કરી શુદ્ધ થઈને ભૂમિ ઉપર ચંદન વડે ષટ્દલ કમળથી રચના કરીને તેના ઉપર સૂર્યદેવનું આહ્વાન કરવું તથા તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને તેમાં ચંદન, પુષ્પો, તલ, અક્ષત, ફૂલો અને વિવિધ દ્રવ્યો નાખીને પૂર્વાભિમુખ થઈને સૂર્યદેવને અર્ધ્ય આપીને

ઓમ્ હ્રીં આદિત્યાય ભાનવે નમઃ

ના જાપ કરવા અને તલના લાડુમાં પૈસા મૂકીને ગરીબોને દાન આપવું. આમ ગુપ્તદાન કરવાથી સૂર્યદેવ રીઝે છે અને જે લોકો રોગ, ક્રૂર ગ્રહોની પીડાથી પરેશાન હોય તેમને શાંતિ મળે છે તથા સંતાનકામના, વિદ્યાપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ જેવાં મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.

મકરસંક્રાંતિનું પર્વ પ્રાચીન અને વ્યાપક પણ છે. ભારતમાં સંક્રાંત અનેક નામ અને રૂપ ધારણ કરીને પ્રચલિત છે. જેમ કે પંજાબમાં લોહડી, મહારાષ્ટ્રમાં ક્રિકાંતિ અને ભોગી, બંગાળમાં સંક્રાંતિ, તમિલનાડું અને દક્ષિણ ભારત તથા પશ્ચિમ બંગાળમાં પોંગલ, પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં સંક્રાંત, પૂર્વ ઉત્તરપ્રદેશ અને બિહારમાં ખીચડી અને આપણા ગરવી ગુજરાતમાં તેને મકરસંક્રાંતિ કે ઉત્તરાયણથી આપણે ઊજવીએ છીએ. ઉત્તરાયણની આગલી રાતથી પતંગોત્સવની ઉજવણીમાં આપણે સૌ પરોવાઈ જઈએ છીએ અને ઉત્તરાયણના દિવસે ફૂલગુલાબી વાતાવરણમાં પતંગોત્સવના મહિમાની સાથે સાથે તલગોળની ચિક્કી, સીંગની ચિક્કી, શેરડી, જામફળ, બોર, ખજૂર, જીંજરા અને ચટાકેદાર સુરતી ઊંધિયું અને રસઝળતી જલેબી ખાવાનું ચલણ માત્ર ગુજરાતીઓમાં જ છે. રાત્રે ફટાકડાની આતશબાજી અને ઝગમગતી તુક્કલોની વચ્ચે આ પર્વને હર્ષોલ્લાસથી ઊજવે છે. આમ, મકરસંક્રાંતિ એ આકાશ, પ્રકાશ, પ્રકૃતિ, સંસ્કૃતિ અને સૂર્ય ઉપાસનાનું અનેરું પર્વ છે.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Beauty Tips : ચહેરા પરની કરચલી વૃદ્ધત્વની નિશાની, 50ની ઉમંરમાં 20 વર્ષના યુવાન દેખાવા દરરોજ કરો આ ડ્રિંકસનું સેવન
હેલ્થ

Beauty Tips : ચહેરા પરની કરચલી વૃદ્ધત્વની નિશાની, 50ની ઉમંરમાં 20 વર્ષના યુવાન દેખાવા દરરોજ કરો આ ડ્રિંકસનું સેવન

By 1 day ago
World News : 'ભારત પર વધારે ટેરિફ લગાવીશ' રશિયા પાસેથી ક્રુડઓઈલ ખરીદવા પર ભડ્કયા ડોનાલ્ડ ટ્રમ્પ
Heart Attack : હાર્ટએટેકના જોખમને દૂર રાખવા આ આહારનું સેવન ફાયદાકારક, હેલ્થ એક્સપર્ટ
રક્ષાબંધન : રેશમની દોરીમાં સ્નેહના તાંતણા
શરીરમાં થાક અને સુસ્તી દૂર કરવા આ એનર્જી ડ્રિંકસ ફાયદાકારક, ગરમ સ્વભાવના આ ફ્રૂટના સેવનથી સ્ફૂર્તિ આવશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?