- માલદીવ સરકારે માફી માંગવી જોઈતી હતીઃપૂર્વ ઉપરાષ્ટ્રપતિ
- રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ભારતીય નેતા સાથે વાત કરીને ઉકેલ લાવવો
- મંત્રીઓના રાજીનામા સિવાય પણ વધુ કાર્યવાહી થવી જોઈતી હતીઃઅદીબ
માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અહેમદ અદીબે ભારતીય વડાપ્રધાન વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓને અસ્વીકાર્ય ગણાવી હતી. તેમણે સોમવારે (8 જાન્યુઆરી) કહ્યું કે માલદીવ સરકારે માફી માંગવી જોઈતી હતી અને રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ભારતીય નેતા સાથે વાત કરીને રાજદ્વારી સંકટનો ઉકેલ લાવવો જોઈતો હતો.
પીએમ મોદીના લક્ષદ્વીપના વીડિયો પર માલદીવની વધી મુશ્કેલી
વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપના બીચ પર પોતાનો બનાવેલો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ પછી માલદીવના મંત્રીઓ અને અન્ય કેટલાક લોકોએ તેમના માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો, જેના પછી સોશિયલ મીડિયા પર વિવાદ થયો. જોકે, માલદીવ સરકારે રવિવારે સોશિયલ મીડિયા પર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનારા ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
માલદીવના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિની સલાહ
માલદીવ સરકારે સોશિયલ મીડિયા પર સસ્પેન્ડ કરાયેલા મંત્રીઓની ટિપ્પણીઓથી પોતાને દૂર રાખતા કહ્યું કે આ તેમના અંગત મંતવ્યો છે અને સરકારના મંતવ્યોનું પ્રતિનિધિત્વ કરતા નથી. વિપક્ષી નેતાઓએ ભારતીય નેતા વિરુદ્ધ અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી. અભદ્ર ભાષાની નિંદા કર્યા બાદ આ ઘટના બની હતી. અદીબે ઈન્ટરવ્યુમાં કહ્યું, “હું માનું છું કે આવું ક્યારેય ન થવું જોઈએ, જે કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. હું માનું છું કે માલદીવ સરકારે મજબૂત પગલાં લઈને વધુ ઝડપથી જવાબ આપવો જોઈતો હતો. “સરકારે ભારતનો સંપર્ક કરવો જોઈતો હતો અને તેને મોટા રાજદ્વારી સંકટમાં ફેરવવા ન દેવો જોઈએ, જે હવે બની ગયો છે.”
માલદીવ સરકારના વિલંબ પર ઉઠ્યા પ્રશ્નો
અદીબે જેઓ માલદીવના ભૂતપૂર્વ પ્રવાસન મંત્રી પણ છે કહ્યું કે જ્યારે તમે સરકારમાં હોવ ત્યારે તમારે વધુ જવાબદાર બનવું જોઈએ. તમે માલદીવના લોકોની આજીવિકા માટે જવાબદાર છો અને તમારે આવી બાબતોમાં સંવેદનશીલ બનવું જોઈએ. ત્રણ મંત્રીઓના સસ્પેન્શન પર સવાલ પૂછવામાં આવતા અદીબે કહ્યું, ‘તેમણે રાજીનામું આપી દેવું જોઈતું હતું. આ સિવાય વધુ કડક કાર્યવાહી થવી જોઈતી હતી. આ કામ રવિવારે સવારે જ થવું જોઈતું હતું, પરંતુ ગઈ રાત સુધી તેમાં વિલંબ થયો હતો. અદીબે કહ્યું કે સરકારે માફી માંગવી જોઈતી હતી અને રાષ્ટ્રપતિ મુઈઝુએ પણ વડાપ્રધાન મોદી સાથે વાત કરવી જોઈતી હતી, કારણ કે આ સ્વીકાર્ય ટિપ્પણીઓ નથી.


