- ભારતના વિરોધથી માલદીવની સાન ઠેકાણે આવી ગઈ
- સોશિયલ મીડિયામાં બોયકોટ માલદિવ્સ ટ્રેન્ડ થવા લાગ્યું
- પીએમ મોદીના લક્ષદ્વીર યાત્રાને લઈ માલદીવના મંત્રીએ વિવાદિત નિવેદન કર્યું હતું
માલદીવના વર્તમાન પ્રધાન મરિયમ શિયુના દ્વારા ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ પર ભારતે સત્તાવાર રીતે વિરોધ કર્યો હતો જેથી જેને લઈ માલદીવના યુવા સશક્તિકરણ, માહિતી અને કલા મંત્રાલયમાં નાયબ મંત્રી તેમજ મેલ સિટી કાઉન્સિલના પ્રવક્તા તરીકે ફરજ બજાવતા શિયુનાએ પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાત પછી અપમાનજનક ટિપ્પણી કરી હતી. જો કે શિયુનાએ તેની ટવિટ ડિલીટ કરી દીધી છે, પરંતુ આ ઘટનાએ બંને પાડોશી દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ ઉભો કર્યો છે.
દરમિયાન, ભારતીય હાઈ કમિશન અને વિદેશ મંત્રાલયે માલદીવના પ્રધાનની વિવાદાસ્પદ પોસ્ટ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. તે જ સમયે, માલદીવ સરકારે મંત્રીના નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે અને તેના મંત્રીના નિવેદનને વ્યક્તિગત ગણાવ્યું છે. માલદીવે પણ કહ્યું છે કે તે મરિયમ શિઉના વિરુદ્ધ કાર્યવાહી કરશે.
માલદીવ સરકારે એક નિવેદનમાં કહ્યું કે તે મંત્રી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓથી વાકેફ છે. તેમણે કહ્યું, “આ મંતવ્યો વ્યક્તિગત છે અને માલદીવ સરકારના મંતવ્યોનું પ્રતિનિધિત્વ કરતા નથી. સરકાર માને છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ લોકતાંત્રિક અને જવાબદાર રીતે થવો જોઈએ અને એવી રીતે જે નફરત, નકારાત્મકતા ન ફેલાવે અને માલદીવ અને તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારો વચ્ચેના ગાઢ સંબંધોને અવરોધે નહીં.
“વધુમાં, સરકારના સંબંધિત અધિકારીઓ આવી અપમાનજનક ટિપ્પણી કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં અચકાશે નહીં,” નિવેદનમાં વધુમાં જણાવાયું છે. માલદીવનો રાજકીય વર્ગ પણ આ મામલે ચૂપ નથી. માલદીવ્સ રિફોર્મ મૂવમેન્ટના અધ્યક્ષ ફારિસે સરકારને એવા જાહેર અધિકારીઓ સામે પગલાં લેવા હાકલ કરી જેઓ રાજ્યના વડાઓ અને મિત્ર દેશોના ઉચ્ચ અધિકારીઓનું સન્માન નથી કરતા.


