- એકવાર ફરી માલદીવની આડોડાઈ આવી સામે
- ભારતના વિમાનને મંજૂરી ન આપતા સારવારના અભાવે કિશોરનું મોત
- માલદીવ સરકારે કિશોરની સારવાર માટે કોઈ વ્યવસ્થા ન કરી
માલદીવમાં રહેતા 14 વર્ષીય કિશોરને બ્રેઈન ટ્યૂમર થયું હતું અને અચાનક તેની સ્થિતિ ખરાબ થતા તેના પરિવારે માલદીવ સરકારને વિનંતી કરી કે તેના પુત્રને સારવાર માટે એર એમ્બ્યુલન્સની વિનંતી કરી પરંતુ ભારતીય વિમાનને મંજૂરી ન મળતા તેમજ સારવારના અભાવે કિશોરનું મોત થયું હતું.
માલદીવમાં ઘણાં વર્ષોથી ભારતીય સૈન્યની એક નાની ટુકડી તૈનાત છે. ત્યાંની પાછલી સરકારની અપીલ પર દરિયાઈ સુરક્ષા અને કુદરતી હોનારત રાહત કાર્યોમાં મદદ માટે ભારતના સૈનિકોને ત્યાં તૈનાત કરાયા હતા. પરંતુ હવે માલદીવના નવા રાષ્ટ્રપકિ મોહમ્મદ મુઈજ્જુએ આ સૈનિકોને દેશ છોડવા માટે કહ્યું છે. આ દરમિયાન શનિવારે માલદીવમાં એક 14 વર્ષીય કિશોરનું એટલા માટે મોત થયું કે મોઈજ્જુ સરકારે ભારત દ્વારા અપાયેલા વિમાનનો ઉપયોગ કરવા મંજૂરી આપવાથી ઈનકાર કર્યો હતો.
જાણકારી અનુસાર કિશોરને બ્રેઈન ટ્યૂમર હતું અને સ્ટ્રોક આવતા તેની સ્થિતિ વધુ ગંભીર થઈ હતી. જેથી તેના પરિવારે તેને તેના ઘરેથી હોસ્પિટલ લઈ જવા એર એમબ્યુલન્સ લાવવા વિનંતી કરી હતી. માલદીવથી મળતી માહિતી મુજબ પરિવારનો આરોપ છે કે અધિકારી તરત સારવાર કરવાની વ્યવસ્થામાં નિષ્ફળ રહ્યા હતા. પીડિત પિતાએ જણાવ્યું કે અમે બાળકને સ્ટ્રોક આવ્યા તેની તરત તેને માલદીવની રાજધાની માલે લઈ જવા આઈલેન્ડ એવિએશનને ફોન કર્યો હતો. પરંતુ તેઓએ અમારા કોલનો જવાબ ન આપ્યો અને ગુરુવારે સવારે 8.30 વાગ્યે ફોનનો જવાબ આપ્યો કે આવા કેસમાં માત્ર એર એમ્બ્યુલન્સનો ઉપયોગ થઈ શકે છે.
કટોકટી છતાં 16 કલાક બાદ કિશોરને હોસ્પિટલ ખસેડાયો
ઉલ્લેખનીય છે કે આ ઘટનાક્રમ એવા સમયમાં આવ્યો કે જ્યારે માલદીવના મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રતિ કરેલી અપમાનજક ટિપ્પણીઓ બાદ ભારત અને માલદીવ વચ્ચેના રાજદ્વારી સંબંધમાં ખટાશ આવી છે. કિશોરના મોત પર માલદીવાના સાંસદ મિકૈલ નસીમે કહ્યું કે ભારતના રાષ્ટ્રપતિની દુશ્મનીને સંતુષ્ટ કરવા ” લોકોએ પોતાનો જીવ આપી આની કીંમત ન ચૂકવવી જોઈએ. “


