અંતિમ દર્શન બગદાણા મુકામે આવતીકાલે ત્રણ વાગ્યા સુધી
વિશ્વ વંદનીય સંત બજરંગદાસ બાપાના અનન્ય સેવક અને સૌના વડિલ એવા મનજી દાદાનું અવસાન થતા લાખો ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મનજીદાદાએ પરમ સદગુરૂ બજરંગદાસ બાપાના આશ્રમના વિકાસમાં નોંધનીય કાર્યો કર્યા છે. બગદાણા બજરંગ દાસા બાપાના મંદિરે ફક્ત ગુજરાત નહીં પરંતુ ભારત સહિત દેશ-વિદેશથી ભક્તો આવતા હોય છે. મનજીદાદાએ બજરંગદાસ બાપાના આશ્રમનો વિકાસ ઉપરાંત આશ્રમમાં સેવા કાર્યો કર્યા છે. મનજી દાદાએ ઘણાં વર્ષોથી બગદાણા ગુરૂ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી છે.
મનજીદાદાનું નિધન થતા સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં વસતા બજરંગ દાસ બાપાના ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આજ ૧૪/૨ના રોજ પરમશક્તિ પરમાત્મામાં વિલીન થઈ ગુરુચરણ પામ્યા છે.પૂજ્ય મનજીદાદાના પાર્થિવ દેહના અંતિમ દર્શન બગદાણા મુકામે તા.૧૪/૨ના રોજ સાંજે ૪.૦૦ કલાકથી આવતીકાલ તા.૧૫ના રોજ બપોરે ૩.૦૦ કલાક સુધી રાખવામાં આવ્યો છે. (સ્થળ: બગદાણાથી ધરાઇ રોડ ચોકડી, તા.મહુવા, જીલ્લો.ભાવનગર) પૂજ્ય દાદાની અંતિમયાત્રા તા.૧૫/૨ના રોજ બપોરે ૩.૦૦ કલાકે નીકળશે.


