નવેમ્બર મહિનો ઘણી આશાઓ લઈને આવ્યો છે. થોડા દિવસ પહેલાં, 26 નવેમ્બરે, બંધારણ દિવસના અવસર પર સંસદના સેન્ટ્રલ હોલમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન થયું હતું. વંદે માતરમના 150મા વર્ષગાંઠ ઉપક્રમે દેશવ્યાપી ભવ્ય કાર્યક્રમોની શ્રેણીની શરૂઆત થઈ. 25 નવેમ્બરે, અયોધ્યાના રામ મંદિર ખાતે ધર્મ ધ્વજાનો વિધિવત્ ઉદઘાટન કરવામાં આવ્યું. એ જ દિવસે, કુરુક્ષેત્રના જ્યોતિસરમાં પંચજાન્ય સ્મારકનું ઉદ્ધાટન પણ થયું.
ભારતે એવિએશન ક્ષેત્રમાં એક મોટું પગલું ભર્યું છે
ભારતે એવિએશન ક્ષેત્રમાં મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ (MRO) ક્ષેત્રમાં એક મોટું પગલું ભર્યું છે. ગયા અઠવાડિયે, મુંબઈમાં ભારતીય નૌકાદળમાં INS મહેને સામેલ કરવામાં આવ્યું. તે જ અઠવાડિયે, સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસ સાથે ભારતના અવકાશ ઈકોસિસ્ટમને નવા ઉર્જાસ્રોત મળ્યા છે. આ તમામ ઘટનાઓ ભારતના નવા વિચારો, નવીનતા અને યુવાની શક્તિનું પ્રતિબિંબ બની રહી છે.
PM મોદીએ વંદે માતરમના 150મા વર્ષની ભવ્ય શરૂઆતની ચર્ચા કરી. દેશભરમાં આ અવસરને લઈને વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિથી ભરપૂર કાર્યક્રમોનું આયોજન શરૂ થયું છે. વંદે માતરમ માત્ર ગીત નથી, પરંતુ રાષ્ટ્રપ્રેમની શક્તિ છે, જેને પેઢીઓથી ભારતીયોએ પોતાના હૃદયમાં જાળવી રાખ્યું છે.
25 નવેમ્બરનો દિવસ પણ વિશેષ રહ્યો. એ દિવસે અયોધ્યાના રામ મંદિર ખાતે ‘ધર્મ ધ્વજ’ ફરકાવવામાં આવ્યો, જે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતિક છે. તેમજ, કુરુક્ષેત્રના જ્યોતિસર ખાતે પંચજાન્ય સ્મારકનું ઉદ્ઘાટન પણ થયું, જે મહાભારતકાળની ઐતિહાસિક અને ધાર્મિક પરંપરાઓને નવી ઓળખ આપશે.
રમતગમતની દુનિયામાં પણ ભારત ઝડપી પ્રગતિ કરી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જાહેરાત કરવામાં આવી કે ભારત કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. આ સફળતાઓ સમગ્ર રાષ્ટ્ર અને દેશવાસીઓની છે..
કૃષિ ક્ષેત્રમાં ભારતે મોટી સફળતા પ્રાપ્ત કરી છે. દેશમાં 357 મિલિયન ટન અનાજનું ઉત્પાદન કરીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. દસ વર્ષ પહેલાંની તુલનામાં આજે ભારતનું અન્નઉત્પાદન 100 મિલિયન ટન વધ્યું છે.


