- હું સ્વધર્મથી પોરબંદર સાથે જોડાયેલો હતોઃ માંડવિયા
- હવે કર્મથી પોરબંદર સાથે જોડાઇ રહ્યો છુ
- પોરબંદરના આશીર્વાદ મળશે તેવો વિશ્વાસ છે
પોરબંદરના સુદામા ચોકમાં મનસુખ માંડવિયાએ જનસભાને સંબોધન કરી છે. જેમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે ગાંધીજીની 150મી જન્મજયંતિ પર પદયાત્રા કરી હતી. હું સ્વધર્મથી પોરબંદર સાથે જોડાયેલો હતો. હવે કર્મથી પોરબંદર સાથે જોડાઇ રહ્યો છુ. આ ધરતીના સંસ્કાર અલગ છે. જનતાનો ઉત્સાહ અમે અનુભવીએ છીએ. કરોડોની સંખ્યામાં મોદીજીની યોજનાના લાભાર્થીઓ છે.
ગુજરાતીઓ વળતરની ગેરંટી હોય તો રોકાણ કરે છે
લાભાર્થીઓ આ ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી નહીં લોકોના દિલ જીતવા આવ્યો છુ. પોરબંદરના આશીર્વાદ મળશે તેવો વિશ્વાસ છે. ગુજરાતીઓ વળતરની ગેરંટી હોય તો રોકાણ કરે છે. પાછલા 10 વર્ષમાં વળતર મળ્યું છે. દેશની સરહદોને મોદીજીએ સલામત કરી છે. અંતરીક્ષમાં દેશની પહોંચ વધી, ચંદ્રયાન ઉતાર્યુ છે. 65 વર્ષમાં ન થયેલા કામો 10 વર્ષમાં થયા છે. તેમજ પોરબંદરમાં ભાજપના ઉમેદવારોનો રોડ શો થઇ રહ્યો છે. જેમાં મનસુખ માંડવિયા અને મોઢવાડિયાનો ભવ્ય રોડ શો યોજાયો છે. રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા છે.
વિધાનસભા પેટાચૂંટણી માટે અર્જુન મોઢવાડિયા નામાંકન કરશે
પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર માંડવિયા ફોર્મ ભરશે. તેમજ વિધાનસભા પેટાચૂંટણી માટે અર્જુન મોઢવાડિયા નામાંકન કરશે. બન્ને ઉમેદવારો વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે. આજે ફોર્મ ભર્યા બાદ 20 તારીખે ફોર્મની સંપૂર્ણ ચકાસણી થશે. તેમજ 22 એપ્રિલ સુધી ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે. અન્ય બેઠક પર પણ ઉમેદવાર આજે ફોર્મ ભરશે. લોકસભા ચૂંટણીને લઈ આજે ઉમેદવારો નામાંકન નોંધાવશે. સુરેન્દ્રનગરથી ચંદુ શિહોરા ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ ભરશે. પંચમહાલથી રાજપાલસિંહ જાદવ ઉમેદવારી ફોર્મ ભરશે. તેમજ ભરૂચથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, વલસાડથી ભાજપના ધવલ પટેલ તેમજ બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ફોર્મ ભરશે.


