- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ
- બીજી ટેસ્ટ જીતની ભારતે સિરીઝ 1-1થી બરાબર
- ઈંગ્લેન્ડના ઘણા ખેલાડીઓ એકસાથે બીમાર પડ્યા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ માત્ર ચાર દિવસમાં સમાપ્ત થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ આ ટેસ્ટ મેચ 106 રને જીતીને પાંચ મેચની સિરીઝ 1-1થી બરાબર કરી લીધી છે. બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની હાર બાદ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર ઈંગ્લેન્ડના ઘણા ખેલાડીઓ એકસાથે બીમાર પડ્યા છે. આવી સ્થિતિમાં હવે આખી ટીમ ભારત છોડી દેશે.
બીજી ટેસ્ટમાં હાર બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ખુલાસો કર્યો હતો કે ટીમના ઘણા સભ્યો બીમાર છે. સ્ટોકસ પણ બીમાર હોવા છતાં ચોથા દિવસે મેદાન પર રમવા ઉતર્યો હતો. હવે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈંગ્લેન્ડની ટીમ ભારત છોડી દેશે. તેઓ અબુ ધાબીમાં સિરીઝની તૈયારી કરશે. જો કે ઈંગ્લિશ ટીમ ત્રીજી ટેસ્ટ પહેલા ભારત પરત ફરશે.
ટીમના ઘણા ખેલાડીઓ બીમાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રમાવાની છે. આવી સ્થિતિમાં, જ્યારે ત્રીજી ટેસ્ટ માટે હજુ લગભગ 10 દિવસ બાકી છે, ત્યારે ઇંગ્લેન્ડની ટીમ ભારત છોડીને ત્રીજી ટેસ્ટ પહેલા ભારત પરત ફરશે. પાંચ મેચોની આ સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. બીજી ટેસ્ટમાં 106 રનથી હાર બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે ટીમના ઘણા ખેલાડીઓ બીમાર છે. તેણે કહ્યું કે બેન ફોક્સ, ઓલી પોપ અને ટોમ હાર્ટલી બીજી ટેસ્ટના ચોથા દિવસે સંપૂર્ણ રીતે ફિટ નહોતા. સ્ટોક્સે કહ્યું કે તમામ ખેલાડીઓમાં સમાન લક્ષણો જોવા મળી રહ્યા છે. કદાચ તે કોઈ વાયરસથી સંક્રમિત છે. સ્ટોક્સે વધુમાં કહ્યું કે હાર બાદ આ કોઈ બહાનું નથી.
ટીમ આબુધાબી પ્રેકટીસ માટે જશે
રિપોર્ટ અનુસાર, હવે ઈંગ્લેન્ડની ટીમ અબુધાબી જશે અને ત્યાં જ ત્રીજી ટેસ્ટની તૈયારી કરશે. આ પછી ઇંગ્લિશ ટીમ 12 અથવા 13 ફેબ્રુઆરી સુધીમાં ભારત પરત ફરશે. આ પહેલા ઈંગ્લેન્ડની ટીમે પણ અબુધાબીમાં જ ભારત પ્રવાસની તૈયારીઓ કરી હતી.


