મંગળવારે રાત્રે મથુરા જિલ્લામાં આગ્રા-દિલ્હી રેલ ટ્રેક પર એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. માલગાડીના લગભગ 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. પાટા પરથી ઉતરવાથી વૃંદાવન રોડ અને અજાઈ સ્ટેશન વચ્ચેનો રેલ ટ્રેક ખોરવાઈ ગયો છે. ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સમાચાર મળતાં જ રેલ્વે વહીવટીતંત્ર હચમચી ગયું છે.
અચાનક માલગાડીના લગભગ 12 ડબ્બા પલટી ગયા
હાલમાં રેલ્વે અને પોલીસ અધિકારીઓ ત્તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ પંજાબ મેલને મથુરા જંકશન પર રોકી દેવામાં આવી છે. મથુરા જંકશન પર ઘણી અન્ય ટ્રેનોને પણ રોકી દેવામાં આવી છે. ટ્રેન સંચાલન બંધ થવાને કારણે મુસાફરો અસુવિધા અનુભવી રહ્યા છે. મળતી માહિતી મુજબ મંગળવારે રાત્રે લગભગ 9 વાગ્યે માલગાડી મથુરાથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક દિલ્હી-આગ્રા મુખ્ય રેલ્વે લાઈન પર માલગાડી પાટા પરથી ઉતરી ગઈ અને અચાનક માલગાડીના લગભગ 12 ડબ્બા પલટી ગયા. જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને અકસ્માત અંગે પોલીસને જાણ કરી. પોલીસે અકસ્માત અંગે રેલવેને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસ અને રેલવે ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ટ્રેનોને કરવામાં આવી શકે છે ડાયવર્ટ
રેલવે મંત્રાલયે રેલવે માર્ગને ઝડપી જ ખોલવા માટે બચાવ ટીમને ઘટનાસ્થળ પર મોકલી છે. ચોથા પાટાની સ્થિતિની તપાસ બાદ નક્કી કરવામાં આવશે કે ટ્રેન તેની પર ફરીથી ક્યારે દોડશે. જો તે પાટા સંચાલન માટે સુરક્ષિત નહીં હોય તો ટ્રેનોને ગાઝિયાબાદ થઈને ટુંડલા થઈને આગ્રા તરફ ડાયવર્ટ કરવામાં આવશે. આ દુર્ઘટનાના કારણે નવી દિલ્હીથી આગ્રા, મથુરાની વચ્ચે રેલવે માર્ગ બંધ થવાના કારણે ઘણી મુખ્ય ટ્રેનોને રૂટ બદલવો પડ્યો છે. રેલવે અધિકારી મુસાફરોને શાંતિ જાળવવા માટે અપીલ કરી રહ્યા છે અને ઝડપી જ નિયમિત સેવાઓ શરૂ કરવાનું આશ્વાસન આપી રહ્યા છે.


