By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    41 minutes ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    2 hours ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    3 hours ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    4 hours ago
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: નવ પદ ધરીયે ધ્યાન, અલુણાં નવ પદ ધરીયે ધ્યાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

નવ પદ ધરીયે ધ્યાન, અલુણાં નવ પદ ધરીયે ધ્યાન

agragujaratnews
Last updated: 2023/10/12 at 4:18 AM
2 years ago
Share
નવ પદ ધરીયે ધ્યાન, અલુણાં નવ પદ ધરીયે ધ્યાન
SHARE

  • નવ પદની ઓળીની આરાધના અત્યાર સુધી ઘણાબધાએ કરેલી છે, પણ સૌથી વધારે પ્રસિદ્ધ ઉદાહરણ મયણા અને શ્રીપાલનું છે

આસો સુદ છઠ્ઠથી આસો સુદ પૂનમ સુધીના દિવસો અને ચૈત્ર સુદ છઠ્ઠથી પૂનમ સુધીના નવ દિવસોનું મહત્ત્વ ઘણું હોય છે. જૈનો એને નવ પદજીની ઓળીના દિવસો કહે છે. આ દિવસોમાં ઘણા જૈનો આંબેલ કરતા હોય છે. આંબેલ એટલે સામાન્ય રીતે રસનો ત્યાગ અને તે પણ દિવસમાં માત્ર એક જ વાર ખાવાનું.

રસનો ત્યાગ એટલે ચા-દૂધ પણ લઈ શકાય નહીં. દહીં, ઘી, ખાંડ કે ગોળ આંબેલમાં વાપરવાનાં ન હોય. ટૂંકમાં, રસ અને કસનો સર્વથા ત્યાગ કરવાનો હોય અને છતાં લાખો જૈન આવા આંબેલ કરીને આરાધનાઓ કરતા હોય છે.

નવપદમાં નવે દિવસ અલગ અલગ પદનાં હોય છે. પહેલા દિવસે અરિહંત પદનો મહિમા હોય છે. પછી ક્રમશ: સિદ્ધ પદ, આચાર્ય પદ, ઉપાધ્યાય પદ, સાદું પદ અને એ પછી ચાર ગુણો એટલે કે જ્ઞાન પદ, દર્શન પદ, ચારિત્ર પદ અને પછી તપ પદ આ રીતે નવ પદની ઉપાસના કરવામાં આવે છે. નવ દિવસના આંબેલ તો ઘણા બધા જૈનો કરતા હોય છે. કેટલાક તો સો દિવસના આંબેલ ઉપર એક ઉપવાસ કરવાવાળા પણ મહાપુરુષો હોય છે. એમાં એવું હોય છે કે એક આંબેલ ઉપર એક ઉપવાસ પછી બે આંબેલ ઉપવાસ, ત્રણ આંબેલ ઉપવાસ આ રીતે વધતા વધતા સો આંબેલ ઉપર એક ઉપવાસ આવું તપ પણ ઘણા લોકો કરતા હોય છે. આને `વર્ધમાન તપની ઓળી’ કહેવાય છે. આ વર્ષમાં જેણે સો ઓળી પૂર્ણ કરેલી હોય એવા પણ ઘણા મહાત્માઓ હશે.

સાધુ-સાધ્વીજીઓ આટલું મોટું-લાંબું તપ કરે, વિહારમાં આયંબિલ શાળાની વ્યવસ્થા ન હોય તો લૂખી રોટલી અને તમારા માટે બનાવેલી દાળ કઢાવી રાખે, એ વાપરીને આંબેલ કરવાનાં હોય. સાથેસાથે વિહાર પણ કરવાના હોય.

આવા વિશિષ્ટ આરાધનાના દિવસો આવે છે. તમારી નજીકના કોઈ પણ આંબેલ ભવનમાં જઈને આવા આંબેલના તપસ્વીનાં દર્શન કરવાં જેવાં ખરાં એમની પાસે જઈને પુછાય કે આપ આટલા લાંબા દિવસો સુધી આ દૂધ વગર લૂખા આહારથી કેવી રીતે ચલાવી શકો છો? જીભ તો તમારી પાસે પણ અમારા જેવી જ દેખાય છે તો એ સ્વાદિષ્ટ આહારની ડિમાન્ડ કરતી નથી?

આવા તપસ્વીઓને આપણે વંદન કરીએ. જે પોતે ખાય તો છે જ, પણ છતાંય જીભ રાજી થાય એવું નહીં જ ખાવાનું. આત્માને રાજી કરાવે એવું જ આપણા પેટમાં નાંખવાનું.

આત્મા રાજી થાય પછી બીજું જોઈએ જ શું? નાનાં ભૂલકાં પણ આંબેલ કરતાં હોય. જેમને ચોકલેટો અને જંકફૂડ વગર ચાલે નહીં. આખો દિવસ કંઈ ને કંઈ ઓરવા જોઈએ જ એવા નાનાં નાનાં બાળકો પણ આંબેલ કરતાં હોય એ જોઈને એમના માટે આપણને અહોભાવ થયા વગર રહે નહીં.

આ નવ પદની ઓળીની આરાધના અત્યાર સુધી ઘણાબધા મહાપુરુષોએ કરેલી છે, પણ સૌથી વધારે પ્રસિદ્ધ ઉદાહરણ મયણા અને શ્રીપાલનું છે.

મયણા રાજકુમારી છે. પિતા અભિમાની છે. એ રાજા એટલે એને એવું અભિમાન કે રાજા જે કરે એમ જ થાય. મયણા કહે છે, પુણ્ય હોય તો થાય. પુણ્ય ન હોય તો રાજા ગમે તે કરે કંઈ ફરક ન પડે. રાજા એના વિધાનને સુધારવા કહે છે, પણ એ કર્મના સિદ્ધાંતને પોતાના જીવનમાં ઉતારવાવાળી હતી. એ દૃઢ રહી.

રાજાએ એક કોઢિયા સાથે એનાં લગ્ન કરાવ્યાં. `લે, તારા કર્મમાં આવો પતિ છે. એ ડરી નહીં. ડગી નહીં. બીજા દિવસે ગુરુ મહારાજને વંદન કરવા પોતાના પતિને લઈને ગઈ. એ સમયે ગુરુદેવે એમને આ નવ પદની ઓળીની આરાધના કરવાનો ઉપદેશ આપ્યો.’

આરાધનાના પ્રતાપે એનો કોઢ રોગ દૂર થયો અને કેટલાં બધાં રાજ્યનો એ માલિક બને છે. જોકે, એની કથા બહુ લાંબી છે.

આ આંબેલ તપ પણ પ્રભાવશાળી છે, એનો મહિમા ઘણો છે. માંગલિક તરીકે પણ આવા આંબેલનું તપ કરતા હોય છે. ક્યારેક ઉપવાસ કરતાં પણ આનું મહત્ત્વ વધારે આંકવામાં આવે છે.

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
સ્પોર્ટ્સ

Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર

By 1 day ago
T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
India-England ટેસ્ટ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત, યાદીમાં ઘણા મહાન ખેલાડીઓનો સમાવેશ
WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
Israel-Iran Conflict: 10 હજાર ભારતીયોના રેસ્કયુ માટે અભિયાન ચલાવશે ભારત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?