By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોહ-માયામાંથી મુક્ત કરનારી મોહિની એકાદશી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

મોહ-માયામાંથી મુક્ત કરનારી મોહિની એકાદશી

Last updated: 2025/05/08 at 5:01 AM
3 months ago
Share
મોહ-માયામાંથી મુક્ત કરનારી મોહિની એકાદશી
SHARE

મોહિની એટલે મોહ પમાડનારી નહીં, પણ મોહમુક્ત કરનારી એવો અર્થ અભિપ્રેત છે. રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે, તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે. રાત્રિના પહેલા પ્રહરમાં હરકોઈ જાગે, બીજા પ્રહરમાં ભોગી જાગે, ત્રીજા પ્રહરમાં ચોર જાગે અને ચોથા પ્રહરમાં યોગી જાગે. યોગ અને ભોગ એક જ છે. વ્રતી જ્યારે સાધનાની ચરમસીમા પર પહોંચી જાય છે ત્યારે યોગની સીમા આવી જાય છે. એનું મન મોહથી મુક્ત બની જાય છે. મોહની ક્ષણ પણ ચારિત્ર્યથી જીતી શકાય છે. મોહની ક્ષણ દરેકના જીવનમાં આવે છે. કામાસક્તિ સંસારનું મોટું આકર્ષણ છે.

સ્ત્રીરૂપ જે માયા તેને જીતવા માટે નર-નારાયણ ઋષિ વિના અન્ય કોઈ સમર્થ નથી. શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓના સંગે રહીને કામને જીત્યો હતો અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું હતું.

યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને પૂછ્યું, `હે પ્રભુ! મોહનું શું રૂપ છે અને મોહની મુક્તિ થવાનો શો ઉપાય છે?’

`હે રાજન! હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્યારે મનમાં ભ્રાંતિ થાય છે. પછી આ કરવાયોગ્ય છે અને આ અયોગ્ય એવો વિવેક રહેતો નથી, આનું નામ મોહ. મોહનું કારણ પંચ વિષય (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ) જ છે. પંચ જ્ઞાનેન્દ્રિયોને પંચવિષયનો સંબંધ છે. જો સ્વરૂપવાન સ્ત્રીનું લાવણ્યયુક્ત, રમણીય રૂપ જોવામાં આવી ગયું હોય તો તેમાં વૃત્તિ જોડાઈ જાય છે અને ભગવાનના સ્વરૂપમાં કે મૂર્તિમાં વૃત્તિ રહેતી નથી. ચિત્ત વિવશ બની જાય છે, માટે જ્યાં સુધી રમણીય પંચવિષયમાં ચિત્ત લોભાય છે ત્યાં સુધી મોહ ટળે નહીં. માટે મોહ ઉત્પન્ન થવાનું કારણ વિષયમાં આસક્તિ જ ગણાય. વિષયમાં જેનું ચિત્ત ચોંટી ગયું હોય તે ચિત્તને ઉખેડવા માટે સૌપ્રથમ આત્મનિષ્ઠા અતિ દૃઢ કરવી જોઈએ.’, `હું આત્મા છું, પણ દેહ નથી.’ આ વિચાર સૌપ્રથમ દૃઢ કરવો જોઈએ.

ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વ પ્રકારનાં સુખનો સુભગ સમન્વય થયો છે. વ્રતધારી દર્શન કરે તો પણ તે પૂર્ણ કામ થઈ જાય છે. માર્મિક (મોહ પમાડે તેવું) જે વિષયસંબંધી સુખ છે તે નાશવંત છે અને ભગવાન સંબંધી સુખ છે તે અખંડ છે. દર્શમોહનીય (દર્શનના માર્ગમાં આડી ઊભેલી મોહિની) છૂટ્યા વિના આત્મદર્શન અશક્ય છે. જન્મ મૃત્યુના દુ:ખનું મૂળ કર્મબંધન છે અને કર્મબંધનનું મૂળ મોહ છે.

હે રાજન! મોહ, તૃષ્ણા, રાગ, દ્વેષ, કામભોગની આસક્તિ એ સર્વ પ્રમાદનાં સ્થાન છે. પ્રમાદથી અજ્ઞાનની વૃદ્ધિ થાય છે. ચિત્તમાં મલિનતાનો કચરો જામે છે. ચારિત્ર્ય વિકારી હોય, ચિત્ત મલિન હોય ત્યાં સુધી વ્રતધારી મુક્તિ પ્રત્યે અભિમુખ થઈ શકતો નથી.

વ્રતધારી વિષય વાસનાથી યુક્ત હોય ત્યાં સુધી તે દુ:ખનું મૂળ શોધી શકતો નથી.

યયાતિ રાજાએ પુત્રની યુવાવસ્થા પોતે મેળવી અને પાંચ ઈન્દ્રિયોના વિષયની લગામ છૂટી મૂકી ભોગ ભોગવવા માંડ્યા, પણ તેથી અતૃપ્તિનો ઉમેરો જ થયો. યયાતિ મહાન યોગી હતા. તેનામાં પાત્રતા તો હતી જ તેથી તે અકળાયો. તેણે આત્મનિરીક્ષણ કર્યું અને પરમ સિદ્ધાંત સૂઝી આવ્યો. તેણે વિશ્વ સમક્ષ ઘોષણા

કરી કે,

ન જાતુ કામ: કામનામુપભોગેન શામ્યતિ।

હવિષા કૃષ્ણત્મેવ ભૂય એવાભિવર્ધતે॥

અર્થાત્ અગ્નિમાં ઘી હોમવાથી આગમાં અભિવૃદ્ધિ થાય છે, આગ ઘટતી નથી તેમ કામના એટલે કે વિષયવાસના ભોગવવાથી વધે છે, ઘટતી નથી. યયાતિએ પણ આ વ્રત કર્યું હતું.

તેતલીપુર નગરમાં કનકરથ નામનો રાજા રાજ્ય ચલાવતો હતો. તેની રાણી પદ્માવતી અતિ સ્વરૂપવાન હતી. તે ધર્મશીલ અને બ્રહ્મચર્યપ્રેમી હતી, પણ પતિ અતિ કામી હતો. પતિ આગળ તેનું કશું ચાલતું નહીં. રાજા કનકરથ મોહપાશથી ઘેરાયેલો હતો.

કનકરથનું અધ:પતન થઈ ચૂક્યું હતું. ચારિત્ર્યમાં તે અધમમાં અધમ મનુષ્ય કરતાં ઊતરતો થયો હતો. પ્રજા ત્રાહિમામ્ પોકારી ગઈ હતી. પદ્માવતીએ ગુરુદેવની સલાહ અનુસાર મોહિની એકાદશીનું વ્રત કર્યું અને તેને પુત્રપ્રાપ્તિ થઈ. કુદરતે પદ્માવતીને પૂરેપૂરો સાથ આપ્યો.

હે ધર્મનંદન! વશિષ્ઠ મુનિએ શ્રીરામને જે મોહિની એકાદશીની કથા કહી હતી તે હું તમને કહું છું.

મોહિની એકાદશી કરનાર મોહ-માયામાંથી મુક્ત થાય છે અને સર્વ પાપોમાંથી છુટકારો મેળવે છે.

સરસ્વતી નદીના તીરે ભદ્રાવતી નગરીમાં ધુતિમાન નામે રાજા રાજ્ય કરતો હતો. સોમવંશમાં જન્મેલો આ રાજા પ્રજાવત્સલ અને સત્યનિષ્ઠ હતો. આ નગરમાં ધનપાલ નામે એક ગર્ભશ્રીમંત મોટો દાનવીર હતો. વાવ-કૂવા ગળાવતો, અન્નક્ષેત્રો ખોલતો, તળાવો બંધાવતો, પાણીની પરબ અને ધર્મશાળાઓની સુવિધાઓ કરતો.

વિષ્ણુભક્ત ધનપાલને પાંચ પુત્રો હતા. તેમાં ધૃષ્ટબુદ્ધિ નામનો પુત્ર અતિ દુરાચારી અને વેશ્યાગામી હતો. તેણે જુગાર, શરાબ અને સુંદરીમાં પિતાનું અઢળક દ્રવ્ય ખર્ચી નાખ્યું, આથી રાજાએ તેને દેશવટો આપ્યો. જંગલમાં શિકાર કરતો કરતો તે એક દિવસ કૌડિન્ય મુનિના આશ્રમમાં આવી ચડ્યો. મુનિવર્ય વૈશાખ માસમાં ગંગાસ્નાન કરી રહ્યા હતા. કૌડિન્ય મુનિ સ્નાનથી પરવારી વસ્ત્ર નીચોવી રહ્યા હતા. પાણીના છાંટા ધૃષ્ટબુદ્ધિ પર પડ્યા અને તેનાં પાપો નષ્ટ થયાં.

આશ્રમે જઈને તેણે મુનિને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી કહ્યું કે, `મને મારાં પાપોનું પ્રાયશ્ચિત્ત કહો. કૌડિન્ય મુનિએ તેને મોહિની એકાદશીનું વ્રત કરવાની આજ્ઞા કરી. આ દિવસે અન્નનું ભોજન કરનારનાં સંચિત પુણ્ય નાશ પામે છે. મુનિની આજ્ઞા પ્રમાણે તેણે વિધિપૂર્વક વ્રત કર્યું અને તે પાપમુક્ત થયો. તેને સ્વર્ગની પ્રાપ્તિ થઈ.’

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લીમડાના પાનનું સેવન બીમારી રાખશે દૂર, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક
હેલ્થ

લીમડાના પાનનું સેવન બીમારી રાખશે દૂર, જાણો સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક

By 5 days ago
Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!
ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
Delhi : આતંકવાદ, સરહદી સુરક્ષાથી લઈ ટેક્નોલોજી સુધી, રાષ્ટ્રીય સુરક્ષા પર અમિત શાહે યોજી મોટી બેઠક
ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?