- સાંસદ મોહન કુંડારિયા દ્વારા આયોજીત રામકથા પાછળનુ રાજ અને આખીય રમત ઉઘાડી
- ઝૂલતા પુલની દુર્ઘટનામાં 135 નિર્દોષ મૃતકોના આરોપીની તરફેણમાં નિવેદન આપ્યુ હતું
- કથાના અંતે કહ્યું, એના બાળકો તો હરખી રીતે દિવાળી ઊજવે એવું કંઈક થાય એવું અમે ઈચ્છીએ
મોરબીમાં શ્રી રામકથાના અંતિમ દિવસે વ્યાસપીઠે વિદ્યમાન મોરારીદાસ હરીયાણીએ ગતવર્ષે દિવાળી- નૂતનવર્ષના તહેવારોમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં 135 નિર્દોષ મૃતકોના આરોપીની તરફેણમાં નિવેદન આપ્યુ છે. જેના કારણે રાજકોટથી બીજી ટર્મના સાંસદ મોહન કુંડારિયા દ્વારા આયોજીત રામકથા પાછળનુ રાજ અને આખીય રમત ઉઘાડી પડી છે.
સૌરાષ્ટ્રમાં, વિશેષતઃ ભાજપમાં આ રામકથાની આમંત્રણ પત્રિકા વહેચાઈ તે દિવસથી જ મોરબીના આ જઘન્ય અપરાધમાં અક્ષમ્ય તક્સીરવાર જખસુખ પટેલ અને તેના સાગરીતો તેમજ અધિકારીઓ માટે જનમાનસમાં લાગણીનુ બીજ રોપવા યોજાઈ રહ્યાની ચર્ચા હતી. જે સમાપન પ્રસંગે સત્ય ઠરી રહ્યાનું ચિત્ર ઉપસ્યુ છે. કથાના છેલ્લા દિવસે મોરારીદાસે મૃતકોના પરીજનોના નામે (આરોપીના) ”બાળકો તો હરખી રીતે દિવાળી ઉજવે એવુ કંઈક થાય એવુ અમે ઈચ્છીએ છીએ” એવુ નિવેદન
135 નિર્દોર્ષોના મોતના તાંડવ વખતે મુંગા રહેલા સાંસદ કુંડારિયા સામે જોઈને આપી રહ્યાનો વિડીયો વાઈરલ થયો છે. જેના કારણે જેઓ કોર્ટમાં, સરકારમાં ન્યાયની લડત લડી રહ્યા છે તેવા આપ્તજનો, નાગરીક નિસબત ધરાવતા ગુજરાતીઓમાં ભારે રોષ પ્રવર્ત્યો છે. સોસિયલ મિડિયામાં વ્યાસપીઠેથી મોરારીદાસે મોરબીના મૃતકોના આરોપીઓની તરફેણ કર્યાની વ્યથા સૌ ઠાલવી રહ્યા છે.