દેશભરમાં ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. દેશભરમાં ધામધૂમથી તેની ઉજવણી થઇ રહી છે. ત્યારે મોરબી સબ જેલમાં પણ બકરી ઈદની ઉજવણી કરાઈ હતી.
મોરબી સબ જેલમાં રહેલા મુસ્લિમ બંદિવાનો દ્વારા બકરી ઈદની ઉજવણી કરાઈ હતી. મોલાના ઈશાકભાઈ દ્વારા મોરબી સબ જેલમાં રહેલ મુસ્લિમ ભાઇઓને ઇદની નમાજ પઢાવવામાં આવી હતી. સદર પર્વ દરમ્યાન મોરબી સબ જેલના ઇ.ચા.અધિક્ષક ડી.એમ.ગોહેલ સાહેબ તથા ઇ.ચા.જેલર એ.આર.હાલપરા સાથે જેલ સ્ટાફ દ્વારા પુરતો સાથ-સહકાર આપવામાં આવ્યો હતો.