મોરબીમાં વૃધ્ધની કરપીણ હત્યા કરનાર ૪ શખસોની અટક
અગ્ર ગુજરાત, મોરબી
મોરબીમાં મયુર બ્રિજ નીચે નદીના પટમાં વૃધ્ધની હત્યા કરવામાં આવી હતી. જે બનાવમાં પોલીસે ચાર ઇસમોની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના મયુર બ્રિજ નીચે નદિના પટ ઉપર બનાવ બનવા પામ્યો હતો. જેમા ફરીયાદી મનોજભાઇ કાસુભાઇ ચાડમીયા (ઉ.વ.રર)એ ફરીયાદ આપી હતી જેમાં આરોપી અજયભાઈ રમેશભાઇ હઠીલા (ઉ.વ.૨૫)ને ફરીયાદીની બહેન સાથે પ્રેમસંબંધ હોય અને લગ્ન કરવાની વાત કરતા જે બાબતે ફરીયાદી તથા સાથી સાથે બોલાચાલી કરી ઝઘડો થતા આરોપી અજયભાઇ રમેશભાઇ હઠીલા (ઉ.વ.૨૫)એ તેના પડોશમાં રહેતા આરોપી અજયભાઇ જાનૈયાભાઇ ખરાડી (ઉં.વ.૨૫) તથા બંટીભાઇ હેન્ડરીયાભાઇ ડામોર (ઉ.વ.૩૩) તથા દિપુભાઇ જાનૈયાભાઇ ખરાડી (ઉ.વ.૪૨)ને બોલાવી ફરી તથા સાથીઓને છૂટા પથ્થરોના ઘા તથા ત્યા પડેલ લાકડાના ધોકા વડે માર મારી ફરીયાદીના પિતા કાસુભાઇ હોથીભાઇ ચાડમીયા (ઉ.વ.૫૭)ને ચારેય જણાએ ઢસડી બાવળની કાંટમાં લઇ જઇ કોઇ તીક્ષણ હથિયારનો ઘા મારી મોત નિપજાવી ગુન્હામાં એકબીજાની મદદગારી કરી જીલ્લા મેજીસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરતા જેમાં ચારેય આરોપીઓની ધોરણસર અટક કરવામાં આવી છે.


