મોરબી જીલ્લાના માળીયા-હળવદ તાલુકા વિસ્તારના ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી પાવર ગ્રીડ વીજલાઈન બાબતે ખેડૂતોને સરકારના ધારા ધોરણ મુજબ વળતર મળતું ન હોય તે મુજબની અનેકો રજૂઆતોને ધ્યાને લઇ મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાલાલ ટમારીયા દ્વારા ખેડૂતોના હિતને ધ્યાને લઇ મુખ્યમંત્રી ભુપેન્દ્રભા પટેલને લેખિત રજૂઆત કરાઈ છે.
મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા લેખિત રજુઆતમાં જણાવ્યા અનુસાર માળીયા-હળવદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારોએ ભારત સરકારના જાહેર સાહસ પાવરગ્રીડની ગૌણ કંપની ખાવડા-૨-બી ટ્રાન્સમીશન લી.દ્રારા ૭૬૫ કેવી લાકડીયા–અમદાવાદ ડબલ લાઇન કે જે ખેડૂતોના ખેતરોમાંથી પસાર થાય છે. ત્યારે ખેડૂતોને સરકારના ધારા-ધોરણ મુજબ યોગ્ય વળતર મળેલ નથી જે બાબતે ખેડૂતો દ્વારા મોરબી જીલ્લાના કલેકટરને તથા લાગી પડતા તમામ અધિકારીઓને લેખીત અને મૌખીક વાંરવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઇ યોગ્ય જવાબ મળેલ નથી. તેથી માળીયા-હળવદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારોને ખાવડા-૨-બી ટ્રાન્સમીશન લી.દ્રારા ૭૬૫ કેવી ખેડૂતોના ખેતરોમાંથી નિકળે છે તથા માપ-સાઇઝ પ્લાન સહીવાળા દસ્તાવેજો મેળવવા તેમજ ખેડૂતોને યોગ્ય વળતર તાત્કાલિક મળે તે માટેની માંગણી સાથે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.