મોરબીના શકત શનાળા ગામે પ્રસિદ્ધ સહજતી માતાજીના મંદિરે આજરોજ ૨૩ ગામના ઝાલા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનુ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે સાંસદ કેશરીદેવસિંહજી એ શક્તિ માતાજીની આરતી કરી હતી.
મોરબીના શકત શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિર ખાતે આજે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ દર્શન કરી આરતીનો લાભ લીધો હતો જ્યાં મોરબી તેમજ ઝાલાવાડ પંથકના ૨૩ ગામના ઝાલા રાજપૂત સમાજના આગેવાનોએ સન્માન કર્યું હતું તેમજ રાજ્યસભાના સાંસદ કેસરિદેવસિંહને બંધારણનુ પુસ્તક ભેટમાં આપ્યું હતું. સાથે જ સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સાંસદ બન્યા બાદ પ્રથમ વખત શક્તિ માતાજીના મંદિરે આવ્યા હોય જેથી તેઓએ આરતી કરવા માટે પણ ઈચ્છા વ્યક્ત કરી હતી અને પોતાના હસ્તે માં શક્તિની આરતી ઉતારીને આશીર્વાદ મેળવ્યા હતા.