- કોહલી – સચિન બાદ ધોનીને મળ્યું રામ મંદિરનું આમંત્રણ
- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું 22 જાન્યુઆરીએ આયોજન
- ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને આમંત્રણ બદલ મહેમાનોનો આભાર માન્યો
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને અયોધ્યામાં યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મળ્યું છે. આ સિવાય સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને હરભજન સિંહ જેવા દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવનાર છે.
ઝારખંડ ભાજપના સંગઠન મંત્રીએ માહીને આમંત્રણ પત્ર આપ્યું
સોમવારે ઝારખંડના ભાજપના સંગઠન મંત્રી કર્મવીર સિંહે મહેન્દ્ર સિંહ ધોનીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ પત્ર આપ્યું હતું. આ પછી, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને તેમને આમંત્રણ આપવા આવેલા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો. આ પહેલા વિરાટ કોહલીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ પત્ર મળ્યો હતો. જ્યારે સચિન તેંડુલકરને 13 જાન્યુઆરીએ આમંત્રણ મળ્યું હતું. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને હરભજન સિંહ જેવા ક્રિકેટરો આ કાર્યક્રમમાં હાજરી આપશે કે નહીં?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય અતિથિ હશે
તમને જણાવી દઈએ કે અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે 6 હજાર ખાસ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમાં ક્રિકેટર્સ ઉપરાંત બોલિવૂડ સેલિબ્રિટી અને ફેમસ બિઝનેસમેન સામેલ છે. તે જ સમયે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય અતિથિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હશે. છેલ્લા કેટલાક દિવસોથી આ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.


