IPL 2025ના સમાપ્ત થયા T20 મુંબઈ લીગ 2025 રમાઈ રહી છે. આ દરમિયાન ભારતના ઘણા સ્ટાર ખેલાડીઓ અહીં કેટલીક ટીમોની કેપ્ટનશીપ કરતા જોવા મળે છે.
જો આપણે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી અને ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિશે વાત કરીએ, તો તે અહીં ટ્રાયમ્ફ નાઈટ્સ એમએનઆઈ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ દરમિયાન તે ખરાબ રીતે ફેલ થયો છે.
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટ્રાયમ્ફ નાઈટ્સ એમએનઆઈ ટીમ T20 મુંબઈ લીગ 2025 માંથી બહાર થઈ ગઈ છે. સૂર્યાની કેપ્ટનશીપમાં ટીમ નોકઆઉટ સ્ટેજમાં પણ એન્ટ્રી કરી શકી નહીં. સૂર્યકુમાર યાદવે પહેલી મેચ પછી સારું પ્રદર્શન કર્યું ન હતું. હવે આ કારણે તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.
કેપ્ટન તરીકે નિષ્ફળ રહ્યો સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ, ટ્રાયમ્ફ નાઈટ્સ એમએનઆઈ ટીમને મુંબઈ પેન્થર્સે 38 રનથી હરાવ્યું હતું. ત્યારબાદ તે T20 મુંબઈ લીગમાંથી બહાર થઈ ગઈ છે. આ દરમિયાન કેપ્ટન પૃથ્વી શોએ ટીમ પેન્થર્સ માટે 75 રનની મેચવિનિંગ ઈનિંગ રમી હતી. જેના કારણે તેની ટીમ સૂર્યાની ટીમ સામે 207 રનનો વિશાળ સ્કોર બનાવવામાં સફળ રહી હતી. જેના જવાબમાં ટ્રાયમ્ફ નાઈટ્સ એમએનઆઈ 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
સૂર્યકુમાર યાદવનું શરમજનક પ્રદર્શન
આ મેચમાં સૂર્યકુમાર યાદવ બેટિંગ અને કેપ્ટનશીપ બંનેમાં ફેલ ગયો. તેને મુંબઈ પેન્થર્સ સામે 29 રનની ટૂંકી ઈનિંગ રમી. સૂર્યકુમાપર યાદવની ટીમે લીગમાં કુલ 5 મેચ રમી. આ સમય દરમિયાન તેને ફક્ત એક મેચ જીતી જ્યારે ત્રણ મેચ હારી. વરસાદને કારણે એક મેચ રદ્દ કરવામાં આવી.
સૂર્યકુમાર યાદવ હાલમાં ટીમ ઈન્ડિયા માટે T20 ફોર્મેટમાં નેતૃત્વ કરી રહ્યો છે. આ પરિસ્થિતિમાં T20 મુંબઈ લીગ 2025માં કેપ્ટન તરીકે તેનું પ્રદર્શન ચર્ચાનો વિષય બન્યું છે. શ્રેયસ ઐયર અને પૃથ્વી શો કેપ્ટન તરીકે આ લીગમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.