By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાતમાં મુસ્લિમ મતદારોના નામ કમી થવાના આક્ષેપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ગુજરાતમાં મુસ્લિમ મતદારોના નામ કમી થવાના આક્ષેપ

Editor
Last updated: 2026/01/24 at 4:43 PM
2 months ago
Share
ગુજરાતમાં મુસ્લિમ મતદારોના નામ કમી થવાના આક્ષેપ
SHARE

મતદાર યાદી સુધારણાની કામગીરીનું ફોર્મ નં.૭ આવ્યું વિવાદમાં

ગુજરાતમાં મુસ્લિમ મતદારોના નામ કમી થવાના આક્ષેપ

 રાજકોટ, અમદાવાદ, સુરતમાં અરજદારો આવ્યા મેદાને, અનેક મુસ્લિમ મતદારોના નામ રદ કરવા અરજીઓ થઇ હોવાની રાવ : ૧૨.૫૯ લાખ નામ કમી કરવા અને ૬.૫૪ લાખ ઉમેરવા મળી અરજીઓ : જીવતા હોવા છતાં ફોર્મ નં.૭માં મૃત બતાવ્યા, SIRની કામગીરી સામે ઉઠાવ્યાં સવાલ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજયમાં મતદાર યાદી સુધારણાની કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યારે રાજકોટ સહિત વિવિધ જિલ્લામાં ફોર્મ નં.૭ સામે સવાલો ઉઠાવ્યા છે અને મુસ્લિમ મતદારોના નામ કમી થવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. લોકો પોતાના આધાર-પૂરાવા સાથે રસ્તા પર ઉતર્યા છે.

રાજ્યમાં ચાલતી SIRની કામગીરી સામે કોંગ્રેસે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. તાજેતરમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, ભાજપ ખોટાં ફોર્મ નંબર-7 ભરીને લાખો નાગરિકોનો મતાધિકાર છીનવવા માગે છે. અનેક જીવિત મુસ્લિમ મતદારોના નામ રદ કરવા ફોર્મ-7 ભરાયા હોવાનું સામે આવ્યું છે. તેમજ લોકો હાથમાં પુરાવા સાથે રસ્તા પર ઉતર્યા છે.

અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પણ SIRની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન પણ કોંગ્રેસે વોટચોરી થતી હોવાના આક્ષેપ કર્યા હતા. મતદાર સુધારણાની કામગીરી માટે BLOએ ઘરે ઘરે જઈને ડોક્યુમેન્ટની ખરાઇ કરીને વિગતો અપડેટ કરી હતી. જો કે તે બાદ મત રદ કરાવવો હોય તો તેના નજીકના લોકો માટે ફોર્મ નંબર 7 ભરવાની સૂચના આપવામાં આવી હતી. ફોર્મ નંબર 7 ભરીને વાંધા રજૂ કરવામાં આવતા તે વ્યક્તિનું નામ રદ કરવામાં આવતું હોય છે.

કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ફોર્મ નંબર 7માં અરજી કરનાર એક વ્યક્તિ જ અનેક લોકોના નામ રદ કરવા માટે વાંધો ઉઠાવતા હોવાનું સામે આવ્યું છે. તેમજ ફોર્મ નંબર 7માં વાંધા રજૂ કરનારે વિગતમાં એપિક નંબર ન લખ્યો હોય તો ક્યાંક મોબાઇલ નંબરની વિગતો ખોટી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ શહેરના ઝાનાસાહેબની ગળી, રિલીફ રોડ અને મિર્ઝાપુરના મોરકસવાડમાં રહેતા 100 કરતા વધુ લોકોના નામ રદ કરવા ફોર્મ 7 ભરાયું હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં જન્મથી રહેતા 60 વર્ષ કરતા વધુ ઉંમરના 100 કરતા વધુ લોકોના નામ રદ કરવા માટે એક વ્યક્તિએ ફોર્મ ભર્યા હોવાનો સ્થાનિકોએ પુરાવા બતાવી દાવો કર્યો છે.

BLO ખરાઇ કરવા માટે જે લોકોના નામ રદ કરવા માટે ફોર્મ 7 ભરાયા છે તેમના ઘરે પહોંચ્યા હતા. અનેક વ્યક્તિઓ જીવિત હોવા છતાં ફોર્મ નંબર 7માં મૃત્યુ થયું હોવાનું બતાવવામાં આવ્યું હતું. BLO જ્યારે ખરાઇ કરવા ઘરે પહોંચ્યા ત્યારે સ્થાનિકોને ખબર પડી કે કોઈક વ્યક્તિએ ખોટી રીતે નામ રદ કરવા માટે ફોર્મ નંબર 7 ભર્યા છે.

65 વર્ષીય હનીફભાઈ શેખ જન્મથી જ મિર્ઝાપુરમાં રહે છે. ઇલેક્ટ્રિક દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. તેઓ જીવિત હોવા છતાં ફોર્મ નંબર 7માં તેમનું મૃત્યુ થયું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ અંગે હનીફભાઈએ જણાવ્યું હતું કે, ખબર નહીં સરકારના મનમાં શું ચાલી રહ્યું છે? એક તરફ સિટીઝનને ફાયદો કરાવવાની વાત કરવામાં આવે છે અને બીજી તરફ અમારા મત રદ કરવામાં આવી રહ્યા છે.

મતદાર યાદીમાં નામ ઉમેરવા 6,54,594 ફોર્મ 6, 6A મળ્યા

બીજી તરફ, લોકશાહીના પર્વમાં જોડાવા માટે યુવા મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા માટે કુલ 6,54,594 ફોર્મ-6 અને ફોર્મ-૬એ મળ્યા છે. આ ઉપરાંત, મતદાર કાર્ડમાં રહેલી વિગતોમાં સુધારા-વધારા કરવા અથવા એક જ વિધાનસભા ક્ષેત્રમાં સ્થળાંતર માટે કુલ 5,04,835 ફોર્મ-8 ચૂંટણી પંચને મળ્યા છે. તેમજ ૧૨.૫૯ લાખ નામ કમી કરવા અરજી મળી છે.

73 લાખ મતદારોની બાદબાકીએ ચૂંટણીનું ગણિત ફેરવ્યું

ગુજરાતમાં 2027મા યોજનારી ચૂંટણીમાં શાસક પક્ષથી માંડીને વિપક્ષના રાજકીય ગણિતને ચૂંટણીપંચે બગાડી નાખ્યું છે. રાજ્યમાં કુલ 73 લાખ મતદારોનું નામ કમી થઈ ગયું છે. તેના કારણે દરેક રાજકીય પક્ષ વિમાસણમાં પડી ગયો છે. તેઓએ પહેલા તો તેમના મતદાર વર્ગ સુનિશ્ચિત કરવાથી લઈને આખેઆખા રાજકીય ચોકઠા નવેસરથી ગોઠવવાની ફરજ પડી છે.

શાસક પક્ષ સહિત દરેક રાજકીય પક્ષ હાલમાં તો તેમના કયા-કયા મતવિસ્તારમાં ક્યાં ગાબડું પડ્યું તેનો અંદાજ કાઢવામાં લાગેલો છે. આમ ચૂંટણીપંચની કાર્યવાહીના પગલે દરેક રાજકીય પક્ષ તે સ્વીકારવા લાગ્યો છે કે તેમના મતદારોમાં ક્યાંકને ક્યાંક તો ગાબડું પડ્યુ છે. તેથી જ જે મતદારોના નામો રદ થયા છે તેના નામો ફરીથી તેમા ગોઠવાય તેના માટે તેઓએ કવાયત આદરી છે. કેમ્પ પણ યોજવા માંડ્યા છે. તેમા પણ ખાસ કરીને જેટલા પણ મતદારોને નામ પંચની યાદીમાં આવ્યા નથી તેની મદદ કરવા માટે રાજકીય પક્ષના કાર્યકરો દોડવા લાગ્યા છે, જે સામાન્ય રીતે લોકો મદદ માંગે ત્યારે ફોન પણ ઉઠાવતા નથી અને મદદે જવાનું ટાળે છે. પણ જો તમારું નામ મતદારયાદીમા નથી તો રાજકીય પક્ષના કાર્યકરને ફોન કરો તો દોડીને આવશે અને તમારા બીએલઓનો તે ઉધડો લઈ નાખશે. તમારું રદ થયેલું નામ કોઈપણ ભોગે મતદાર યાદીમાં સામેલ થાય અને અંતિમ યાદીમાં આવે તેના માટે દોડાદોડી પણ કરવા લાગ્યા છે. તે જોઈને કોઈને પણ થઈ આવે કે આવી દોડાદોડી જો તેઓ લોકોના કામ માટે કરતાં હોય તો અડધા પ્રશ્નો ઉકેલાઈ જાય.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
રાજકોટ

જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન

Editor By Editor 6 days ago
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?