- યુવક આપઘાત મુદ્દે વિમલ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું
- મોબાઈલની શોધ કરવામાં આવે તેવી માંગ
- ત્રણ લોકોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ
જૂનાગઢના ઝુઝારપુર ગામના એક યુવકે સુસાઈડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના નામ લખીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને ચોરવાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના યુવક આપઘાત મુદ્દે વિમલ ચુડાસમાનું નિવેદન
જૂનાગઢના યુવક આપઘાત મુદ્દે વિમલ ચુડાસમાનું નિવેદન સામે આવ્યુ છે. જેમાં જણાવ્યું છે કે મારા માસીનો દિકરો છે, બે વર્ષથી કોઈ સંપર્કમાં નથી. મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શરદ પૂનમ હતી ત્યારે ભાઈનો ફોન આવ્યો હતો. તમારા ભાઈએ ફાંસી ખાઈને આપઘાત કર્યો છે. હિતેશ પરમાર મોટો ભાઈ છે તે પહેલો પહોચ્યો હતો. 8-9 જણા કાળા કલરની કારમાં મુકીને જતા રહ્યા હતા. ત્યાં પહોંચ્યા પછી CCTV ફૂટેજમાં તપાસ કરી હતી. ડીવાયએસપી પણ મારી સાથે હતા. આપઘાત કર્યો હોય તો કોઈ હાથ ન લગાવી શકે. બોડીને ત્યાં સુધી ઉતારવામાં પણ ન આવે. આ ખરેખર શંકાસ્પદ છે કે કેમ તે તપાસ ચાલુ છે. તેનો ફોન પણ મળ્યો નથી હજુ ગાયબ છે. ગળા પર , વાંસા અને પગ પર નિશાન છે. હિતેશ તેના ભાઈને પણ મર્ડર થયુ હોય તેવી શંકા છે.
મોબાઈલની શોધ કરવામાં આવે તેવી માંગ
મોબાઈલની શોધ કરવામાં આવે તેવી માંગ છે. તથા કોલ ડિટેઈલ કાઢવાની પણ માંગ કરી છે. જેમાં પીએમ કરાવ્યુ છે કે કેમ તે બાદ સત્ય હકીકત સામે આવી શકે છે. તથા સ્યુસાઈડ નોટ પર કોના અક્ષર છે તેની પણ તપાસ કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢ જિલ્લાના ચોરવાડના ઝુઝારપુર ગામે રહેતા નીતિન જગદીશ પરમાર નામના યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ અંગેની જાણ પરિવારજનો દ્વારા પોલીસને કરવામાં આવતા ચોરવાડ પોલીસની ટીમ તાત્કાલિક ઝુઝારપુર ગામે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી.
ત્રાસથી કંટાળીને હું ફાંસી ખાઈને જીવન ટૂંકાવું છું
સુસાઈડ નોટમાં મૃતક નીતિન પરમારે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ સુસાઈડ નોટમાં MLA સહિત 3 લોકો મારી નાખવાની ધમકી આપતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. સુસાઈડ નોટમાં લખેલું છે કે, ‘મારું નામ નીતિન જગદીશ પરમાર છે. હું અત્યારે ફાંસી ખાવ છું અને એના જીમેદાર 3 વ્યક્તિઓ છે. (1) વિમલ કાના ચુડાસમા (સોમનાથ ધારાસભ્ય), (2) મનુભાઈ મકન કવા (રહે. પ્રાચી), (3) ભનું મકન કવા (રહે. પ્રાચી). આ ત્રણેય મને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે. તેમના ત્રાસથી કંટાળીને હું ફાંસી ખાઈને જીવન ટૂંકાવું છું.’