- PMએ સ્વસહાય જૂથોની બહેનોને આત્મનિર્ભર બનાવી : MLA અનિકેતભાઈ
- મિશન મંગલમ યોજનાથી સમાજમાં અમને માન મળ્યું : લાભાથી
- નારી શક્તિ વંદના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી
આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકે નારી શક્તિ વંદના કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.જેમાં સરકારની મહિલા સશક્તિકરણની ફલેગશીપ યોજનાઓથી આર્થિક રીતે પગભર બનેલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી.આજના નારી શક્તિ વંદના કાર્યક્રમમાં તમામ તાલુકા મથકેએ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વર્ચ્યુઅલી સંબોધનને સાંભળ્યું હતું.નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત પાલનપુરના ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકસિત ભારત-વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમનું પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન તેમજ શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાય વિતરણ કરાયું હતું.આ કાર્યક્રમમાં વ્હાલી દિકરી,યોજના,અટલ પેન્શલ યોજના,મિશન મંગલમ યોજના,કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ,સ્ટાર્ટ અપ ફંડ,રિવોલ્વિંગ ફંડ,ટર્મ લોન,ગંગા સ્વરૂપ યોજના જેવી વિવિધ યોજનાઓના મહિલા લાભાર્થીઓને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં વિશિષ્ટ કામગીરી કરતી સરપંચ મહિલાઓ,બાલિકા પંચાયત, શિક્ષણ, નારી સંરક્ષણ કેન્દ્ર,ઓર્ગેનિક ખેતી જેવી વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે માતાઓ અને બહેનોને હદયપૂર્વક વંદન કરતા જણાવ્યું હતું કે નારી શક્તિ વંદન જેવો પૂજ્ય કાર્યક્રમ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી જ થઈ શકે.દેશમાં વર્ષ 2014 પછી દરેક તબકકે પરિવર્તન દેખાઈ રહ્યું છે.અયોધ્યા ખાતે ભગવાન શ્રાીરામના દર્શનનો મોકો હોય કે કાશ્મીરમાં 370 કલમની નાબૂદી હોય,આ બધુ મોદીની ગેરંટીથી જ શક્ય બન્યું છે.વર્ષ 2047માં વિકસિત ભારતના સંકલ્પ માટે મોદી રાત દિવસ મહેનત કરી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વસહાય જૂથોની બહેનોને મજબૂત કરી આત્મનિર્ભર બનાવી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે,પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનભાઈ સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઈ.શેખ પ્રાંત અધિકારી કમલભાઈ ચૌધરી અને સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


