- વર્લ્ડકપ 2023માં લીગ તબક્કાની તમામ 45 મેચો રમાઈ
- 15 નવેમ્બરે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ
- 16 નવેમ્બરે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ
વર્લ્ડકપ 2023માં લીગ તબક્કાની તમામ 45 મેચો રમાઈ છે. છ ટીમો પોતપોતાની બેગ પેક કરીને વતન પરત ફરી છે અને ચાર ટીમો વર્લ્ડકપ ટ્રોફીના સપના સાથે મુંબઈ અને કોલકાતામાં પડાવ નાખી રહી છે. ભારતીય ટીમ મુંબઈમાં છે. તેણે અહીં વાનખેડે સ્ટેડિયમમાં તેની સેમિફાઇનલ મેચ રમવાની છે. અહીં તેને ન્યુઝીલેન્ડના પડકારનો સામનો કરવો પડશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડકપની સેમીફાઈનલ મેચ રમાવાની છે. જો કે બપોરે 2 વાગ્યે શરૂ થનારી આ મેચમાં વરસાદનો કોઈ ખતરો નથી, પરંતુ હાલમાં ભારતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે અને સતત વરસાદ પડી રહ્યો છે. આનો અર્થ એ થયો કે વરસાદની થોડી સંભાવના રહે છે. આવી સ્થિતિમાં ભારતની સેમીફાઈનલ મેચમાં પણ વરસાદ અવરોધરૂપ બનશે તો શું થશે? જો આખી મેચ વરસાદમાં ધોવાઈ જાય તો વિજેતા કોણ બનશે.
રિઝર્વ ડે અને પછી ડકવર્થ-લુઈસ પદ્ધતિ
ICC એ વર્લ્ડકપ 2023 સેમી ફાઈનલ મેચો માટે રિઝર્વ ડે રાખવમાં આવ્યો છે. એટલે કે, જો આ મેચો દરમિયાન વરસાદ પડશે તો બીજા દિવસે રમત પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવશે. ઓવર કોઈપણ રીતે ઘટાડવામાં આવશે નહીં. જો રિઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડે અને ડકવર્થ-લુઈસ પદ્ધતિ હેઠળ બીજી ઈનિંગમાં જરૂરી સંખ્યામાં ઓવર રમાઈ હોય, તો જીત કે હારનો નિર્ણય લેવામાં આવશે. પરંતુ જો બીજી ઈનિંગમાં જરૂરી ઓવરો ફેંકી ન શકાય, તો પોઈન્ટ ટેબલની સ્થિતિના આધારે વિજેતા જાહેર કરવામાં આવશે.
જો મેચ વરસાદમાં ધોવાઈ જશે તો તેનો ફાયદો કોને મળશે
જો ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલ મેચમાં બંને દિવસે વરસાદ રહે છે અને ડકવર્થ-લુઇસ પદ્ધતિ લાગુ કરીને પણ પરિણામ ન જાહેર કરી શકાય તો ભારત સેમિફાઇલમાં પ્રવેશ કરશે. કારણ કે ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ન્યુઝીલેન્ડ કરતા આગળ છે. તે પ્રથમ સ્થાન પર છે. જ્યારે ન્યુઝીલેન્ડ ચોથા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની મેચમાં પણ પરિણામ સમાન હશે. એટલે કે જો બીજી સેમિફાઇનલ વરસાદને કારણે ધોવાઇ જશે તો સાઉથ આફ્રિકા ફાઇનલમાં પહોંચી જશે.


