- દેવામાં ડૂબેલા નેપાળના એરપોર્ટને ન મળી એક પણ ફ્લાઇટ
- નેપાળી સરકાર ભારત પર ઢોળી રહી છે દોષનો ટોપલો
- ચીની સરકારને પણ આ એરપોર્ટને લઈને નથી ખાસ રસ
આજથી એક વર્ષ પહેલા પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પરંતુ આજ સુધી આ એરપોર્ટને એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નથી મળી શકી. ચીનના 25 અરબ રૂપિયાની લોનમાં દબાયેલા આ એરપોર્ટને વાર્ષિક દોઢ અરબ રૂપિયાનું નુકશાન સહન કરવું પડી રહ્યું છે. તો બીજી બાજુ ચીન તરફથી સતત લોનનું વ્યાજ વસૂલાતની ઉઘરાણીને લઈને સરકારની મુશ્કેલી સતત વધી રહી છે.
ગત વર્ષે 1 જાન્યુઆરી 2023ના રોજ નેપાળ સરકારે ધામધૂમથી પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આમ તો ચીને આ એરપોર્ટના નિર્માણ માટે 25 અરબ રૂપિયાની લોન આપી હતી પરંતુ ઉદ્ઘાટનના દિવસે મંચ પર હાજર ચીની રાજદૂતથી લઈને બેજિંગમાં રહેલ ચીનના વિદેશ મંત્રયલ તમામે આ પરિયોજનાને BRI અંતર્ગત રહેવાની જાહેરાત કરી દીધી હતી.
નેપાળની વાંમપંથી સરકાર આ એરપોર્ટના ન ચાલવા પાછળ ભારતને જવાબદાર ગણી રહી છે. ભારતે ક્યારેય આ એરપોર્ટ માટે કોઈ ફ્લાઇટને મંજૂરી ન આપી. તેની પાછળનું કારણ આ પ્રોજેક્ટમાં માત્ર ચીની સરકારનું રોકાણ જ નથી પરંતુ ચીનનું વ્યૂહાત્મક અને વ્યૂહાત્મક ષડયંત્ર પણ છે. ભારત ઉપરાંત ચીનની સરકારે પણ પોખરા એરપોર્ટ પર નિયમિત ફ્લાઇટમાં ખાસ રસ દાખવ્યો નથી, જે તેના પોતાના દ્વારા આપવામાં આવેલ લોનની મદદથી બનાવવામાં આવ્યું હતું.
ગત વર્ષે સપ્ટેમ્બર 2023માં વડાપ્રધાનની ચીનના ઉચ્ચસ્તરીય યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે જુદી જુદી રાજકીય અને રાજદ્વારી ચર્ચાઓ અને બેઠકોમાં પોખરા એરપોર્ટ પર નિયમિત ફ્લાઇટ્સ માટે ચીની પક્ષને વારંવાર વિનંતી કરવામાં આવી હતી પરંતુ ચીને બે-ચાર ચાર્ટર્ડ ફ્લાઈટ સિવાય ક્યારેય તેમાં રસ દાખવ્યો નહીં જેને કારણે પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણ, હેતુ અને ભવિષ્ય પર ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.


