- નારણપુરામાં લગાવેલા ટાયર કિલર બમ્પ માત્ર 3 માસમાં ગાયબ
- કેટલાકના સ્પાઈક ગાયબ તો કેટલાક પડ્યા ઢીલા
- નવતર પ્રયોગની તંત્ર જ ન કરી શક્યુ જાળવણી
અમદાવાદમાં પ્રજાના પૈસાનો વેડફાટ જોવા મળ્યો છે. જેમાં રોંગ સાઈડ ટ્રાફિક રોકવા માટે બનાવેલા બમ્પ ગાયબ થયા છે. તેમાં નારણપુરામાં લગાવેલા ટાયર કિલર બમ્પ માત્ર 3 માસમાં ગાયબ થયા છે. કેટલાકના સ્પાઈક ગાયબ તો કેટલાક ઢીલા પડ્યા છે. નવતર પ્રયોગની તંત્ર જાળવણી ન કરી શક્યુ.
ત્રણ મહિનામાં ટાયર કિલર બમ્પની દશા સામે આવી
શહેરમાં માત્ર ત્રણ મહિનામાં ટાયર કિલર બમ્પની દશા સામે આવી છે. જેમાં નારણપુરા ખાતે લાગેલ ટાયર કિલર બમ્પની હવા નીકળી ગઇ છે. કિલર બમ્પ ઢીલા પડ્યા, તો કેટલાક સ્પાઇક જ ગાયબ થઈ ગયા છે. તેમાં કિલર બમ્પની ગુણવત્તા સામે સવાલ ઉઠયા છે. કોન્ટ્રાકટર દ્વારા સાવ લો ક્વોલિટી વાપરવામાં આવી છે. જેમાં પ્રજાના પૈસાનો વેડફાટ થઇ રહ્યો છે. તાજેતરમાં જ અમદાવાદમાં ટાયર કિલર બમ્પ ફિટ કરવામાં આવ્યા હતા. ટાયર કિલર નામ છે, એટલે વાહનનું ટાયર ફાડવાનો ઉદ્દેશ તો બિલકુલ પણ નથી, ઉદ્દેશ્ય લોકોને રોંગ સાઈડમાં આવતા અટકાવવાનો છે, કેમ કે રોંગ સાઈડમાં બેફામ વાહન ચલાલવું એ રસ્તા પરનો એક પ્રકારનો આતંક જ છે.
જાણો કયા લગાવાના હતા આ ટાયર કિલર બમ્પ
અગાઉના એક રિપોર્ટ પ્રમાણે, ચાણક્યપુરી બ્રિજ પાસે ટાયર કિલર બમ્પ ઈન્સ્ટોલ કરાયા બાદ હવે શહેરની 23 જગ્યાએ તે લગાવવામાં આવશે. હેબતપુર બ્રિજ, કારગિલ ચાર રસ્તા, સોલા બ્રિજ નીચે, ભાગવત ચાર રસ્તા, સોલા સિવિલ, વાયએમસીએ ક્લબ, સાણંદ સર્કલ, ભાગવત ચાર રસ્તા, ઉજાલા સર્કલ, ગોતા ચાર રસ્તા, ઈસ્કોન ચાર રસ્તા, કર્ણાવતી ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા, પકવાન પાસે આવેલા બંને બ્રિજના છેડે, સુતરના કારખાના ત્રણ રસ્તા, ગુરુદ્વારા ચાર રસ્તા, નાના ચિલોડા બ્રિજના દક્ષિણ છેડે, કર્ણમુક્તેશ્વર મહાદેવ (એરપોર્ટ), જજીત બંગલો ચાર રસ્તા, નાના ચિલોડા બ્રિજના છેડે, પ્રભાત ચોક, ચાણક્યપુી બ્રિજ, શ્યામલ ચાર રસ્તા, કારગિલ ચાર રસ્તા પાસેથી પસાર થતા બ્રિજની નીચે બંને બાજુ ટાયર કિલક બમ્પ લગાવવામાં આવશે.