નાઈજીરિયાના સેન્ટ્રલ બેન્યુ રાજ્યના યેલેવાટા ગામમાં હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 100 લોકોના મોત નિપજ્યા છે. આ જાણકારી એમનેસ્ટી ઈન્ટરનેશનલ નાઈજિરિયાએ શનિવારે આપી હતી. સંગઠને જણાવ્યું હતું કે આ હુમલો શુક્રવાર મોડી રાત સુધી ચાલુ રહ્યો.
અમનેસ્ટીએ સોશિયલ મિડીયા પ્લેટફોર્મ એક્સ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે હજી પણ ઘણા લોકો લાપતા છે. કેટલાય લોકો ઘાયલ છે, તેમને યોગ્ય સારવાર મળી રહી નથી. ઘણા પરિવારોને તેમણે રૂમમાં બંધ કરીને સળગાવી દીધા. તેમણે જણાવ્યું હતું કે બેન્યૂ રાજયમાં હુમલાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે અને હુમલાખોરો ડર્યા વગર લોકોની હત્યા કરી રહ્યા છે. આ હુમલાઓને કારણ લોકો પોતાના ઘર છોડવા મજબૂર થઈ ગયા છે. મોટા ભાગે પિડીતો ખેડૂતો છે આથી તેમની ખેતીવાડી પર પણ સંકટ છવાયું છે.
બેન્યૂ રાજ્ય નાઈજીરિયાના મિડલ બેલ્ટમાં આવેલું છે. જેમાં મુસ્લિમ બહુલ ઉત્તર અને ઈસાઈ બહુલ દક્ષિણ મળે છે. આ ક્ષેત્રમાં ચરવાહો અને ખેડૂતો વચ્ચે ખૂબ લાંબા સમયથી સંધર્ષ ચાલી રહ્યો છે. ખેડૂતો ખેતી માટે જમીન માંગી રહ્યા છે.
આ ઝગડાઓને કારણે જાતીય અને ધાર્મિક તણાવ વધી ગયો છે. ગયા મહિને પણ અજાણ્યા ચરવાહાએ બેન્યૂ રાજ્યના ગ્વેર વેસ્ટ જીલ્લામાં ઓછામાં ઓછા 42 લોકોને શિકાર બનાવ્યા હતા. sbm ઈન્ટેલેજન્ટ્સ અનુસાર વર્ષ 2019થી અત્યાર સુધીમાં આ હિંસક ઘટનાઓમાં 500 થી વધુ લોકોના જીવ ગયા છે.