By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  પેટ્રોલપંપ પરથી મળશે હવે કેરોસીન-LPG સિલિન્ડર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 પેટ્રોલપંપ પરથી મળશે હવે કેરોસીન-LPG સિલિન્ડર

Editor
Last updated: 2026/03/30 at 4:00 PM
7 minutes ago
Share
 પેટ્રોલપંપ પરથી મળશે હવે કેરોસીન-LPG સિલિન્ડર
SHARE

ઇંધણની કટોકટીને પહોંચી વળવા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

 પેટ્રોલપંપ પરથી મળશે હવે કેરોસીન-LPG સિલિન્ડર

૬૦ દિવસ માટે કેરોસીનના વેચાણના નિયમો હળવા કરાયા : ગુજરાત, દિલ્હી, હરિયાણા સહિત ૨૧ રાજયોમાં વેંચાણ શરૂ કરાશે

રાજકોટ સહિતના જિલ્લામાં વધુમાં વધુ બે પેટ્રોલપંપની પસંદગી કરી વેંચાણની પરવાનગી અપાશે : સેફટી નિયમોનું પાલન કરવા તાકીદ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષના કારણે આખી દુનિયામાં તેલ અને ગેસના સપ્લાયની સાંકળ ખોરવાઈ ગઈ છે, જેની સીધી અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. દેશમાં સર્જાયેલી આ LPG (રાંધણગેસ) અને ઈંધણની કટોકટીને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લોકોના ઘરોમાં રસોઈ માટે બળતણની અછત ન સર્જાય તે માટે સરકારે 60 દિવસ પૂરતા કેરોસીનના વેચાણને લગતા નિયમો હળવા કર્યા છે. હવે ગુજરાત, દિલ્હી અને હરિયાણા સહિતના 21 રાજ્યોમાં પસંદગીના પેટ્રોલ પંપ અને જાહેર વિતરણ વ્યવસ્થા (PDS – રેશનની દુકાનો) મારફતે ફરીથી કેરોસીનનું વેચાણ શરૂ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા 29 માર્ચે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ, દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી 60 દિવસ માટે ‘સુપિરિયર કેરોસીન ઓઇલ (SKO)’ ના ઇમરજન્સી (એડ-હોક) સપ્લાયને મંજૂરી આપવામાં આવી છે. સરકારનો મુખ્ય હેતુ એ છે કે સામાન્ય જનતાને રાંધવા કે લાઈટ માટે ઈંધણની કોઈ અછત ન પડે.

સરકારે લીધેલા આ નવા નિર્ણય મુજબ, જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ચાલતા અમુક પસંદગીના પેટ્રોલ પંપોને કેરોસીનનો સ્ટોક રાખવા અને તેનું વેચાણ કરવાની છૂટ આપવામાં આવી છે. આ માટે દરેક જિલ્લામાં વધુમાં વધુ બે પેટ્રોલ પંપ નક્કી કરવામાં આવશે અને દરેક પંપ મહત્તમ 5,000 લિટર કેરોસીનનો સંગ્રહ કરી શકશે.

કેરોસીનનો સપ્લાય ઝડપી બને તે માટે સરકારે ડીલરો અને ટ્રાન્સપોર્ટના વાહનોને ‘પેટ્રોલિયમ નિયમો, 2002’ ની અમુક કડક લાયસન્સ જોગવાઈઓમાંથી મુક્તિ આપી છે. જોકે, સરકારે ખાસ તાકીદ કરી છે કે આ કેરોસીનનો ઉપયોગ માત્ર અને માત્ર ઘરેલું કામ (જેમ કે રસોઈ બનાવવા કે લાઈટ માટે) જ થવો જોઈએ, તેનો કોઈ દુરુપયોગ ચલાવી લેવામાં આવશે નહીં.

આ નિર્ણયના ભાગરૂપે, જે વિસ્તારોમાં અગાઉ કેરોસીનનું વેચાણ તબક્કાવાર બંધ કરી દેવાયું હતું, ત્યાં પણ PDS (રેશન કાર્ડ) મારફતે હંગામી ધોરણે સપ્લાય ફરી શરૂ કરવામાં આવી રહ્યો છે. જોકે, આ આખી પ્રક્રિયા દરમિયાન પેટ્રોલિયમ અને વિસ્ફોટક સુરક્ષા સંગઠન (PESO) ના સેફ્ટી નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

કેન્દ્ર સરકારે નિર્ણય લીધો કે કેરોસીન તેલ રેશનની દુકાનો તેમજ પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ રહેશે. સરકારી તેલ કંપનીઓને પેટ્રોલ પંપ પરથી કેરોસીન વેચવાની પરવાનગી આપવામાં આવી છે. હવે, બીજો એક નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ હવે પેટ્રોલ પંપ પર સિલિન્ડર વેચવામાં આવશે. નાના વ્યાપારી અને ઘરેલું સિલિન્ડર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર વેચવામાં આવશે. લોકો આ 5 કિલોના સિલિન્ડર પેટ્રોલ પંપ પરથી ખરીદી શકશે.

 

સપ્લાય પર નજર રાખવા બની ખાસ કમિટીઓ અને કંટ્રોલ રૂમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વિડીયો કોન્ફરન્સ બાદ, રાજ્ય સરકારે તરત જ પોતાનો એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. કેન્દ્ર સરકાર સાથે સીધા સંપર્કમાં રહેવા અને સપ્લાય ચેન જાળવી રાખવા માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં 16 સભ્યોની એક ‘સ્ટેટ લેવલ કોઓર્ડિનેશન કમિટી’ બનાવવામાં આવી છે. આ જ રીતે, દરેક જિલ્લામાં સ્થાનિક કલેક્ટરની અધ્યક્ષતામાં 11 સભ્યોની કમિટી કામ કરશે.

લોકોની સુવિધા માટે દરેક જિલ્લામાં 24 કલાક કાર્યરત રહે તેવા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે. આ કમિટીઓનું મુખ્ય કામ એ જોવાનું રહેશે કે પેટ્રોલ, ડીઝલ, ગેસ અને અનાજ જેવી રોજબરોજની વસ્તુઓ સામાન્ય જનતા સુધી પહોંચવામાં કોઈ જ અડચણ ન આવે.

 

શ્રમિકો, બંદરો અને બિનનિવાસી ગુજરાતીઓ માટે ખાસ વ્યવસ્થા

માલસામાનની હેરફેર અટકે નહીં તે માટે રાજ્યના બંદરો (પોર્ટ્સ) પર કાર્ગોનું સંચાલન સ્મૂધ રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. આ વૈશ્વિક સંકટની અસર સામાન્ય શ્રમિકો પર ન પડે અને તેમને સમયસર તેમનું મહેનતાણું મળી રહે તે જોવાની સૂચના પણ સંબંધિત અધિકારીઓને અપાઈ છે. આ ઉપરાંત, વિદેશમાં વસતા આપણા બિનનિવાસી ગુજરાતીઓ (NRI) ને જો આ સમયમાં કોઈ મદદની જરૂર પડે, તો તેમના માટે એક ખાસ હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે.

આ મહત્વની બેઠકમાં મંત્રી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, રમણભાઈ સોલંકી, મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને પોતાના સૂચનો આપ્યા હતા.

You Might Also Like

રાજકોટમાં રસ્તા ઓછા ભાજપના ભ્રષ્ટાચારના ખાડા વધારે : કોંગ્રેસ

સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ’ પ્રમાણપત્ર ઇશ્યુ કરવાનો તા.૪ એપ્રિલથી પ્રારંભ

કથિત પત્રકાર સુરેશ વડેચાના ગંભીર આક્ષેપો ખોટા સાબિત : મેડિકલ રિપોર્ટમાં ‘પેટ્રોલ યાતના’નો કોઈ પુરાવો નહીં

રાજકોટ સહિત રાજયભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લેવાઇ ગુજકેટની પરીક્ષા

 ઊનાળાની સિઝનમાં ચાર મહિના માટે વકિલોને કાળો કોર્ટ પહેરવામાં મુકિત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દુબઈની કંપનીમાં રોકાણના નામે 1.48 કરોડોની છેતરપિંડી
રાજકોટ

દુબઈની કંપનીમાં રોકાણના નામે 1.48 કરોડોની છેતરપિંડી

Editor By Editor 59 minutes ago
ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ
 રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી
ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત
 ધો.૧૦-૧૨ના છાત્રોને મળશે બારકોડવાળી માર્કશીટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?